Lok Sabha Elections Result 2024: અયોધ્યામાં ભાજપ મળી હાર, આ અંગે હવે બાબા રામદેવ શું કહ્યું, તેમણે મોદી વિશે પણ આપ્યું આ મોટુ નિવેદન.. જાણો શું કહ્યું બાબા રામદેવે…

Lok Sabha Elections Result 2024: બાબા રામદેવે NDAની જીત અંગે કહ્યું હતું કે, મને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યકાળ પણ સફળ રહેશે. મને વિશ્વાસ છે કે તેમનું નેતૃત્વ અને તેમની નીતિઓ આ દેશ માટે ફાયદાકારક રહેશે.

by Akash Rajbhar
Lok Sabha Elections Result 2024 BJP got defeated in Ayodhya, what did Baba Ramdev say about this now

News Continuous Bureau | Mumbai 

 Lok Sabha Elections Result 2024: યોગ ગુરુ બાબા રામદેવે NDA ને લોકસભા ચૂંટણીમાં જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાનને અભિનંદન આપતા બાબા રામદેવે મિડીયાને નિવેદન આપતા કહ્યું હતું કે, પીએમ મોદીનો ત્રીજો કાર્યકાળ પણ નોંધપાત્ર રહેશે. PMની નીતિઓ દેશ માટે શ્રેષ્ઠ સાબિત થશે. એટલું જ નહીં, બાબા રામદેવે એમ પણ કહ્યું કે પીએમ મોદીના વિઝન હેઠળ ભારત વિશ્વભરના દેશોનું નેતૃત્વ પણ કરશે.

બાબા રામદેવે આગળ કહ્યું હતું કે, મને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યકાળ પણ સફળ રહેશે. મને વિશ્વાસ છે કે તેમનું નેતૃત્વ અને તેમની નીતિઓ આ દેશ માટે ફાયદાકારક રહેશે. બાબા રામદેવે વધુમાં કહ્યું હતું કે, વાત એ છે કે આ સામાજિક, આર્થિક, રાજકીય અને વૈશ્વિક પડકારોનો સમય છે અને આમાં પીએમ મોદીના નેતૃત્વમાં ભારત પોતાની નીતિઓની સાથે-સાથે વિશ્વની નીતિઓને પણ યોગ્ય દિશામાં લઈ જવાનું કામ કરશે.

આ સમાચાર પણ વાંચો :Government Scheme: શું તમારા પૈસા પણ શેરબજારમાં ધોવાઈ ગયા છે? આ 9 સ્કીમમાં રોકાણ કરો પૈસા, બની જશો અમીર! …જાણો વિગતે..

બાબા રામદેવે લોકસભા ચૂંટણીમાં જીતેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા . જે ઉમેદવારો જીતી શક્યા નથી તેમના માટે બાબા રામદેવે કહ્યું કે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ કે વહેલા અથવા મોડા તેઓ પણ જીતી જશે. તેમણે આગળ કહ્યું કે, કોઈએ ડિપ્રેશનમાં ન જવું જોઈએ, જીવન એક સંગમ છે અને જે લડી શકતો નથી તે આગળ વધી શકતો નથી.

જ્યારે બાબા રામદેવને અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીની હાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આપણે સારા વિશે વિચારવું પડશે અને જ્યાં પણ ભૂલો થઈ છે તેનું વિશ્લેષણ કરવું પડશે, જેથી આપણે આગળ વધી શકીએ અને વધુ સારુ કામ કરી શકીએ.

 

Join Our WhatsApp Community

You may also like