News Continuous Bureau | Mumbai
National Sports Governance Bill 2024: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024ના મુસદ્દા પર વિચાર-વિમર્શ કરવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ), રાષ્ટ્રીય રમત સંઘ (એનએસએફ) અને નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન્સ (એનએસપીઓ) સાથે મહત્વપૂર્ણ હિતધારકોની પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે, ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ શ્રીમતી પી. ટી. ઉષા અને મિશન ઓલિમ્પિક સેલ અને કેન્દ્રીય મંત્રાલયોના રમતગમત નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. માંડવિયાએ ( Mansukh Mandaviya ) પોતાનાં સંબોધનમાં ઉત્કૃષ્ટતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપતી મજબૂત અને પારદર્શક રમતગમતની ઇકોસિસ્ટમ ઊભી કરવાની સરકારની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024 બિલનો મુસદ્દો ભારતમાં મજબૂત અને પારદર્શક રમતગમત શાસન માળખું ઊભું કરવાનાં અમારાં મિશનમાં સીમાચિહ્નરૂપ છે, જે ઓલિમ્પિક ( Olympics ) અને પેરાલિમ્પિક ચાર્ટર સહિત આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સાથે સુસંગત છે. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ હિતધારકો અને લોકોની સક્રિય ભાગીદારી નીતિઓને આકાર આપવા માટે મહત્ત્વપૂર્ણ છે, જે આપણા રમતગમત સમુદાયની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, “ડ્રાફ્ટ બિલ વર્ષ 2047 ( National Sports Governance Bill 2024 ) સુધીમાં વિકસિત ભારતનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે, જેમાં રમતગમત રાષ્ટ્રીય ગૌરવ અને વૃદ્ધિનાં આધારસ્તંભ તરીકે ખીલે છે.” તેમણે ઉમેર્યું હતું કે, “રમતવીરો-કેન્દ્રિત ફેડરેશનોને સશક્ત બનાવીને, સેફ સ્પોર્ટ્સ પોલિસી પ્રસ્તુત કરીને અને અપીલેટ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલની સ્થાપના કરીને અમે એક મજબૂત માળખું ઊભું કરી રહ્યાં છીએ, જે આપણાં રમતવીરોને ઉત્કૃષ્ટ બનાવવાની સાથે-સાથે વૈશ્વિક રમતનાં મંચ પર ભારતની સ્થિતિને પણ મજબૂત કરે છે.”
આ પરામર્શમાં વિવિધ NSF, એનએસપીઓ અને આઇઓએના પ્રતિનિધિઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી, જેમણે સૂચિત શાસન સુધારાઓ, રમતવીરોના કલ્યાણના પગલાઓ અને રમતગમતના વહીવટમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા પર તેમના દ્રષ્ટિકોણની વહેંચણી કરી હતી. આ બેઠકમાં રમતવીરોનાં અધિકારોનું રક્ષણ, રમતગમત સંસ્થાઓની કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ભારતની વૈશ્વિક સ્તરે રમતગમતની પ્રતિષ્ઠા વધારવા જેવા મુખ્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ड्राफ्ट नेशनल स्पोर्ट्स गवर्नेंस बिल -2024 हेतु आज इंडियन ओलंपिक एसोसिएशन, नेशनल स्पोर्ट्स फेडरेशन और नेशनल स्पोर्ट्स प्रमोशन ऑर्गेनाइजेशन जैसे महत्पूर्ण स्टेकहोल्डर के साथ बैठक की और विभिन्न सुझाव प्राप्त किए।
प्रधानमंत्री श्री @NarendraModi जी की सरकार खेल में भारत को अग्रणी… pic.twitter.com/jsFuyI5uOI
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 17, 2024
ડો. માંડવિયાએ હોદ્દેદારોને ખાતરી આપી હતી કે ડ્રાફ્ટ બિલને ( Draft Bill ) સુધારવા માટે તેમના મૂલ્યવાન ઇનપુટ્સ પર કાળજીપૂર્વક વિચારણા કરવામાં આવશે. તેમણે વાજબી રમત, સર્વસમાવેશકતા અને રમતવીરોનાં સંપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપે તેવું વાતાવરણ ઊભું કરીને ભારતને વૈશ્વિક રમતનું પાવરહાઉસ બનાવવાનાં મંત્રાલયનાં વિઝનનો પુનરોચ્ચાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Gujarat Dolphin Census 2024: ગુજરાતનો દરિયો બન્યું ડોલ્ફિનનું ઘર, રાજ્યના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં નોંધાઈ ૬૦૦થી વધુ ડોલ્ફિન.
નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024નો મુસદ્દો રમતવીરોના વિકાસ અને કલ્યાણને પ્રોત્સાહન આપવા, નૈતિક શાસનને સુનિશ્ચિત કરવા અને વિવાદનું અસરકારક સમાધાન વ્યવસ્થા પ્રદાન કરવા માટે એક વિસ્તૃત માળખું સ્થાપિત કરે છે. આ બેઠકનો ઉદ્દેશ ભારતીય રમતોને લાભદાયક કાયદો ઘડવા માટે વિવિધ હિતધારકો પાસેથી આંતરદૃષ્ટિ, સૂચનો અને પ્રતિભાવો એકત્રિત કરવાનો હતો.
કેન્દ્રીય મંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, ખરડાનાં મુસદ્દા પર હિતધારકો અને સામાન્ય જનતાને તેમનાં સૂચનો અને ટિપ્પણીઓ વહેંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ટિપ્પણીઓ 25.10.2024 સુધીમાં ઇમેઇલ આઇડી ડ્રાફ્ટ.સ્પોર્ટ્સબિલ[at]gov[dot]in પર ઇમેઇલ દ્વારા મંત્રાલયને મોકલી શકાશે. રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ 2024નો મુસદ્દો https://yas.nic.in/sports/draft-national-sports-governance-bill-2024-inviting-comments-suggestions-general-public-and પર એક્સેસ કરી શકાય છે.
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય બિલના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે વિવિધ હિતધારકો ( Stakeholders ) સાથે જોડાવાનું ચાલુ રાખશે, જેથી ભારત માટે પ્રગતિશીલ અને સ્થાયી રમતગમત શાસન માળખાને આકાર આપવામાં રમતવીરો, વહીવટકર્તાઓ, નિષ્ણાતો અને જાહેર જનતાનો અવાજ ઉઠાવવામાં આવે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
આ સમાચાર પણ વાંચો : PM Modi Abhidhamma Day: PM મોદીએ આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી સમારોહને કર્યું સંબોધન, સમગ્ર વિશ્વને કરી આ ખાસ અપીલ.