Site icon

Monsoon Session 2023: ‘INDIA’ ગઠબંધને સંસદમાં મોદી સરકાર સામે બનાવી ખાસ રણનીતિ … મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષોની એકતા….. જાણો અહીંયા વિપક્ષોની સંપુર્ણ વ્યુહરચના શું છે….

Monsoon Session 2023: સૂત્રોએ ચોમાસુ સત્ર માટે INDIA ગઠબંધનની સંપૂર્ણ રણનીતિ જણાવી છે. આ વ્યૂહરચના હેઠળ, જ્યારે કોઈપણ કેન્દ્રીય પ્રધાન અથવા સાંસદ ગૃહમાં બોલશે, ત્યારે વિપક્ષના સાંસદો વિરોધ કરશે અને સૂત્રોચ્ચાર કરશે. જો કે, એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે જ્યારે નીતિન ગડકરી જેવા કેટલાક મંત્રીઓ અથવા અન્ય પક્ષોના સાંસદો ગૃહમાં બોલશે ત્યારે વિપક્ષ શાંત રહેશે.

Monsoon Session 2023: INDIA' coalition made a special strategy against the Modi government in Parliament..Find out what the complete strategy is here….

Monsoon Session 2023: INDIA' coalition made a special strategy against the Modi government in Parliament..Find out what the complete strategy is here….

News Continuous Bureau | Mumbai

Monsoon Session 2023: સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. મણિપુર હિંસા (Manipur Violence) અંગે બંને ગૃહોમાં યુદ્ધ ચાલી રહ્યું છે. વિપક્ષી ગઠબંધન INDIA એક ખાસ વ્યૂહરચના હેઠળ મોદી સરકારને ઘેરવામાં કોઈ કસર છોડી રહ્યું નથી. વિપક્ષની માંગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નિવેદન સાથે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. જ્યારે સરકાર ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ના નિવેદન સાથે ચર્ચા કરવા માંગે છે. વિપક્ષે મણિપુર મુદ્દે કેન્દ્રને ઘેરવા માટે લોકસભા અને રાજ્યસભા માટે અલગ-અલગ વ્યૂહરચના ઘડી છે. આ અંતર્ગત મણિપુર મુદ્દે પીએમ મોદીના નિવેદન સિવાય વિપક્ષને કંઈ પણ સ્વીકાર્ય નથી. ચાલો જાણીએ શું છે વિપક્ષની રણનીતિ?

Join Our WhatsApp Community

સૂત્રોએ ચોમાસુ સત્ર માટે INDIA ગઠબંધનની સંપૂર્ણ રણનીતિ જણાવી છે. આ વ્યૂહરચના હેઠળ, જ્યારે કોઈપણ કેન્દ્રીય પ્રધાન અથવા સાંસદ ગૃહમાં બોલશે, ત્યારે વિપક્ષના સાંસદો વિરોધ કરશે અને સૂત્રોચ્ચાર કરશે. જો કે, એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે જ્યારે નીતિન ગડકરી (Nitin Gadkari) જેવા કેટલાક મંત્રીઓ અથવા અન્ય પક્ષોના સાંસદો ગૃહમાં બોલશે ત્યારે વિપક્ષ શાંત રહેશે. બુધવારે આવું જ કંઈક જોવા મળ્યું, જ્યારે બુધવારે બીજેડી સાંસદ સસ્મિત પાત્રાએ રાજ્યસભામાં મહિલાઓ માટે આરક્ષણ બિલનો મુદ્દો ઉઠાવ્યો, ત્યારે વિપક્ષી સાંસદોએ શિષ્ટાચાર જાળવી રાખ્યો.

આ સમાચાર પણ વાંચો : Niger President Removed: આફ્રિકન દેશ નાઈજરમાં સત્તાપલટો! સેનાએ રાષ્ટ્રપતિ બજોમની ધરપકડ કરી… દેશની સરહદો સીલ કરાઈ … જાણો સમગ્ર વિગતો..

મણીપુર મુદ્દામાં મોદી સરકારને ઘેરવુ છે.

INDIA ગઠબંધનમાં સામેલ એક પક્ષના નેતાએ જણાવ્યું હતું કે વ્યૂહરચનાના ભાગરૂપે વિપક્ષી સાંસદો પ્રશ્નકાળ દરમિયાન મણિપુરનો મુદ્દો ઉઠાવશે. તારાંકિત પ્રશ્ન ઉઠાવતી વખતે, સ્પીકરે પુરવણી માટે સભ્યનો સંપર્ક કરવો પડશે. આ દરમિયાન વિપક્ષી સાંસદો મણિપુરનો મુદ્દો ઉઠાવશે. આ વ્યૂહરચના રાજ્યસભામાં વારંવાર જોવા મળી રહી છે. એટલું જ નહીં વિપક્ષે લોકસભા અને રાજ્યસભા માટે અલગ-અલગ રણનીતિ બનાવી છે. વિપક્ષનું એક માત્ર ધ્યાન કેન્દ્ર અને પીએમ મોદી પર મણિપુર મુદ્દે બોલવા માટે દબાણ લાવવાનું છે.

તારાંકિત પ્રશ્ન શું હોય છે?

તારાંકિત પ્રશ્ન એ છે જેનો સભ્ય મૌખિક જવાબ માંગે છે. જ્યારે શાસક પક્ષ દ્વારા કોઈ પ્રશ્નનો મૌખિક જવાબ આપવામાં આવે છે, ત્યારે તેના પર પૂરક પ્રશ્નો પૂછી શકાય છે.

આ વ્યૂહરચના હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો

વિપક્ષ આ વ્યૂહરચના હેઠળ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે. જ્યારે રાજ્યસભામાં સરકારના જવાબ મેળવવા માટે અલગ-અલગ રણનીતિ બનાવવામાં આવી છે. આટલું જ નહીં, બેંગલુરુમાં યોજાયેલી બેઠક બાદ વિપક્ષી પાર્ટીઓ વધુ એકજૂથ જોવા મળી રહી છે અને વધુ તાલમેલ સાથે સરકારને ઘેરી રહી છે. ક્યાંક ને ક્યાંક વિપક્ષની આ રણનીતિ સફળ થતી જોવા મળી રહી છે.

અવિશ્વાસ પ્રસ્તાવ શા માટે લાવવામાં આવ્યો?

મોદી સરકાર બહુમતીમાં છે. આવી સ્થિતિમાં વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત પડી જશે તે સ્પષ્ટ છે. સવાલ એ થાય છે કે મોદી સરકાર પાસે પૂર્ણ બહુમતી હોવા છતાં વિપક્ષ આ અવિશ્વાસ પ્રસ્તાવ શા માટે લાવી રહ્યો છે? વાસ્તવમાં વિપક્ષી દળોનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુરના મુદ્દે ગૃહમાં કોઈ જવાબ નથી આપી રહ્યા, પરંતુ જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે તો વડાપ્રધાને ગૃહની અંદર તેના પર જવાબ આપવો પડશે. આ જ કારણ છે કે તમામ વિરોધ પક્ષો જાણે છે કે તેમની પાસે ડેટા નથી. આમ છતાં આ પ્રસ્તાવ લોકસભામાં લાવવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad : મણિનગરમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ બાદ વધુ એક અકસ્માત, પોલીસ કર્મીને રિક્ષાચાલકે અડફેટે લીધા

Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Red Fort Blast: દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા: ઉપરાજ્યપાલે પોલીસ કમિશનરને એમોનિયમ નાઇટ્રેટના વેચાણ પર નિયંત્રણ માટે આપ્યા ખાસ નિર્દેશો.
Coal mining: કોલસા ખનન કેસમાં EDનો મોટો ઍક્શન: બંગાળમાં આટલા સ્થળોએ દરોડા, મની લોન્ડરિંગની તપાસ
Red Fort Blast: આતંકીઓની મોડસ ઓપરેન્ડી: બોમ્બ બનાવવા માટે કઈ એપ્સનો ઉપયોગ થતો હતો? જાણો લાલ કિલ્લા ધમાકાની તપાસની વિગતો
Exit mobile version