Site icon

નાગરિક ઉડ્ડયન મંત્રાલયની મહત્વની જાહેરાત : હવે ઘરેલું વિમાન કંપનીઓ વધુમાં વધુ 60 ટકા યાત્રીઓ સાથે ઉડાન ભરી શકશે. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
05 નવેમ્બર 2020

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગયા મહિને મર્યાદિત સ્થાનિક ફ્લાઇટ ઓપરેશનને 45 ટકાથી વધારીને 60 ટકા કરવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત ભારત સરકારે કહ્યું હતું કે ઘરેલું વિમાની કંપનીઓ આગામી વર્ષે 24 ફેબ્રુઆરી સુધી તેમની પૂર્વ-કોવિડ ફ્લાઇટ્સના 60 ટકા સંચાલન કરી શકે છે.

Join Our WhatsApp Community

ભારતમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં દૈનિક કોવિડ -19 કેસની સંખ્યા ઘટી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દૈનિક કેસ લોડમાં 20 ટકાનો ઉછાળો નોંધાયો છે.. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં ચેપના 46,253 અને તાજા કેસો 38,310 નોંધાયા છે.

નોંધનીય છે કે, રાષ્ટ્રિય લોકડાઉન વેળા કોવિડ -19 ના પ્રસારને રોકવાની જાહેરાત કર્યાના બે મહિના પછી સરકારે 25 મે થી ઘરેલું ઉડાન ફરી શરૂ કરી હતી. ત્યારે સામાજિક અંતરને અનુસરવામાં આવે તેની ખાતરી મળ્યાં બાદ 30 ટકા ક્ષમતા સાથે કેલિબ્રેટેડ રીતે કામગીરી શરૂ થઈ. જે ક્ષણતા હોવી વધારીને 60% કરવામાં આવી છે..

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Supreme Court Order: શિક્ષણ જગતમાં મોટી હલચલ: NCERT એ ધોરણ 8 ના અભ્યાસક્રમમાં કર્યો મોટો ફેરફાર! વિવાદિત પાઠ હટાવ્યો, સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ પુસ્તક પર પ્રતિબંધ
Weather Update: માર્ચની શરૂઆતમાં જ સૂર્યદેવના આકરા તેવર! હિમાચલમાં ‘લૂ’ ની ચેતવણી, ગુજરાત અને રાજસ્થાનમાં કાળઝાળ ગરમી વચ્ચે ગરમ પવનો ફૂંકાશે
Commercial LPG Shortage India: યુદ્ધની અસર હવે રસોડાથી સ્મશાન સુધી! ગેસ સપ્લાય ખોરવાતા બેંગલુરુ અને પુણેમાં હાહાકાર; કોમર્શિયલ ગેસના બાટલા માટે મચી પડાપડી.
Exit mobile version