News Continuous Bureau | Mumbai
Jammu Kashmir: પાકિસ્તાને (Pakistan) ફરી એકવાર જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર નાપાક હરકત કરી છે. ગુરુવારે મોડી સાંજે (26 ઓક્ટોબર 2023), પાકિસ્તાની રેન્જર્સે BSFને નિશાન બનાવીને ભારે ગોળીબાર(firing) શરૂ કર્યો હતો. સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ગોળીબારના કારણે સરહદને અડીને આવેલા ગ્રામજનોને નજીકમાં બનેલા બંકરોમાં આશરો લેવો પડ્યો હતો.
આ ગોળીબાર ગુરુવાર રાતથી ચાલુ છે અને સરહદ પર હમણાં પણ ફાયરિંગનો અવાજ સંભળાઈ રહ્યો છે. અરનિયા સેક્ટર (Arania Sector) ના ગ્રામજનોએ કહ્યું, કે મોડી રાતથી આ ગોળીબાર ચાલુ છે, સરહદ અમારા ગામથી દોઢ કિલોમીટર દૂર છે, આવું 2-3 વર્ષ પછી થઈ રહ્યું છે, આખા ગામે બંકરમાં આશરો લીધો છે. શું થવાનું છે તેની કોઈને ખબર નથી.
#WATCH | Jammu and Kashmir: “…There was heavy firing. Everyone is scared. The people are hiding in bunkers..,” says a local from Arnia. https://t.co/83CUPotu5R pic.twitter.com/P3ijbdscPq
— ANI (@ANI) October 27, 2023
અમે પાકિસ્તાની રેન્જર્સે દ્વારા કરવામાં આવેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ…
અરનિયા સેક્ટરમાં રહેતી એક મહિલાએ કહ્યું, કે ‘ગઈ રાત્રે 8 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. દરેક જગ્યાએ ભારે ગોળીબાર થયો હતો. આ લગભગ 4-5 વર્ષ પછી થયું જ્યારે તેમની તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. દરેક વ્યક્તિ પોતાના ઘરની અંદર છે. તેણે કહ્યું, અમારા ગામમાં લગ્ન ચાલી રહ્યા હતા, બધા ત્યાં ગયા હતા, જ્યારે ફાયરિંગ શરૂ થયું ત્યારે અમને લોકોને કહેવામાં આવ્યું કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે, અત્યારે બધા લોકો પોતપોતાના ઘરમાં છુપાયેલા છે.
આ ફાયરિંગ વચ્ચે BSFએ કહ્યું, અમે તેમના દ્વારા કરવામાં આવેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ. પાકિસ્તાન દ્વારા આ અચાનક ફાયરિંગ શા માટે કરવામાં આવી રહ્યું છે તેની માહિતી મળી શકી નથી. શું આ ગોળીબારમાં કોઈ ગ્રામજનોને જાનહાનિ થઈ છે? તેમણે કહ્યું કે, અમે અત્યારે તેના વિશે માહિતી આપી શકીશું નહીં.
આ સમાચાર પણ વાંચો : Qatar Death Verdict: કતારમાં ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને ફાંસીની સજાને, લઈને રાજકારણ ગરમાયું, વિપક્ષે સરકારને ઘેરી…જાણો વિગતે અહીં….