Qatar Indians: કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયોને મોટી રાહત, ફાંસીની સજા પર લાગી રોક

Qatar Indians: કોર્ટે કતારમાં કથિત જાસૂસીના આરોપમાં 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળની મૃત્યુદંડની સજા પર રોક લગાવી છે. હવે ફાંસીની સજાને બદલે આ ભારતીયોને જેલમાં રહેવું પડશે. ભારતીય વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. કતારની અપીલ કોર્ટે ગુરુવારે પોતાનો નિર્ણય જાહેર કર્યો.

by kalpana Verat
Qatar Indians Relief for 8 Indian Navy veterans in Qatar as court commutes death penalty

News Continuous Bureau | Mumbai

Qatar Indians: આખરે ભારત સરકારની ( Indian Government ) મહેનત રંગ લાવી છે. કતારમાં મૃત્યુદંડની ( death penalty ) સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય ખલાસીઓને ( Indian sailors ) મોટી રાહત મળી છે. કેન્દ્રની મોદી સરકારની અપીલ પર તમામ આઠ લોકોની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. હવે ફાંસીની સજાને બદલે આ ભારતીયોને જેલમાં રહેવું પડશે. ભારતીય વિદેશ મંત્રાલયના ( Indian External Affairs Ministry ) હસ્તક્ષેપ બાદ કતારની અપીલ કોર્ટે ( Appellate Court ) આ નિર્ણય આપ્યો, જેમાં સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે. કતારમાં ભારતીય રાજદૂત ( Indian Ambassador ) અને અન્ય અધિકારીઓ હાજર હતા, જેમણે પરિવારના સભ્યો સાથે કોર્ટમાં અપીલ કરી હતી. 

અમે શરૂઆતથી જ ભૂતપૂર્વ સૈનિકોની સાથે છીએ – વિદેશ મંત્રાલય

કતારમાં દહરા ગ્લોબલ કેસમાં આપવામાં આવેલી ફાંસીની સજા પર વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે કેસની શરૂઆતથી જ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોની સાથે ઉભા છીએ અને અમે તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાયતા આપતા રહીશું. અમારી કાનૂની ટીમ આગામી પગલાઓ અંગે આઠ ભારતીયોના પરિવારના સંપર્કમાં છે. સુનાવણી દરમિયાન રાજદૂતો અને અધિકારીઓ કોર્ટમાં હાજર હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મામલામાં કાર્યવાહીની ગોપનીય અને સંવેદનશીલ પ્રકૃતિને કારણે આ સમયે વધુ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.

મંત્રાલયે વધુમાં કહ્યું કે અમે શરૂઆતથી જ આઠ લોકોના પરિવાર સાથે ઉભા છીએ. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેના વિશે વધુ બોલવું અમારા માટે યોગ્ય રહેશે નહીં. અમે કતાર પ્રશાસન સાથે આ મામલો સતત ઉઠાવતા આવ્યા છીએ અને કરતા રહીશું.

આ સમાચાર પણ વાંચો :  Closing Bell : શેરબજારમાં ગજબની તેજી. સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર થયા બંધ, આ શેરોએ રોકાણકારોને કરાવી કમાણી..

ભારત સરકારે અપીલ દાખલ કરી હતી

મહત્વનું છે કે ભારત સરકારે આ ભૂતપૂર્વ સૈનિકોને બચાવવામાં કોઈ કસર છોડી નથી. આ માટે સરકારે પૂર્વ મરીનને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે કતારની અન્ય કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. તમને જણાવી દઈએ કે જાસૂસીના કથિત કેસમાં ધરપકડ કરાયેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના જવાનોને ઓક્ટોબરમાં કતારની અદાલતે મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

ઇઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ હતો

કતારે આઠ મરીન પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. કતારની સુરક્ષા એજન્સીએ 30 ઓગસ્ટે તમામની ધરપકડ કરી હતી. આ તમામ ભારતીય નૌકાદળમાંથી નિવૃત્ત થયા હતા અને દોહામાં અલ-દહરા કંપનીમાં કામ કરતા હતા. તમામ પર ઈઝરાયેલ માટે કતારના સબમરીન પ્રોજેક્ટ સાથે સંબંધિત માહિતી ચોરી કરવાનો આરોપ હતો. જોકે સત્તાવાર રીતે કતારે આરોપો અંગે કંઈ કહ્યું નથી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More