દેશમાં ફરી કૃષિ આંદોલનના ભણકારા, રાકેશ ટીકૈતના આ નિવેદનથી વધ્યું સરકારનું ટેન્શન; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ફરી વાર ખેડૂત આંદોલનના એંધાણ આપ્યા છે. 

રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂતો આંદોલન માટે એક વાર ફરીથી તૈયાર રહે. 

સાથે તેમણે એમ પણ કહ્યું કે, 'સરકારે એમએસપી પર ગેરંટી કાયદા સહિત અન્ય મુદ્દાઓ પર કરેલો વાયદો તોડ્યો છે. એટલાં માટે દેશભરના ખેડૂતોએ ભેગાં થઈને ફરીથી આંદોલન કરવું પડશે.

એક ખાનગી ન્યૂઝ અખબારના રિપોર્ટ અનુસાર, ટિકૈતે જણાવ્યું છે કે, હજુ સુધી અમે આંદોલનની કોઈ જ તારીખ નક્કી નથી કરી પરંતુ અમે ખૂબ જ જલ્દીથી તેને શરૂ કરવા માટે પૂરી રીતે તૈયાર છીએ.

આ સમાચાર પણ વાંચો : સંસદનું બજેટસત્ર એક દિવસ વહેલુ આટોપી લેવાયુ, લોકસભા અને રાજયસભા અચોક્કસ મુદત માટે મુલત્વી. સત્રમાં આટલા બિલ થયા પસાર

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More