Site icon

પ્રભુ રામ નવરત્ન જડિત વસ્ત્રો ધારણ કરશે… જાણો ભુમિ પૂજનના દિવસે લીલા રંગનાં જ વાઘા કેમ પહેરાવાશે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

અયોધ્યા

Join Our WhatsApp Community

29 જુલાઈ 2020

રામ મંદિરના પાવન અવસરે ભગવાન રામ સહિત લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ને નવરત્ન જડીત વાઘા પહેરાવાશે.. અયોધ્યામાં 500 વર્ષની પ્રતિક્ષા બાદ ભગવાન રામના ભવ્ય મંદિરની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ જન્મભૂમિ પર તેમનાં મંદિરનો શિલાન્યાસ કરશે. 

આ વિશેષ અવસરે રામના બાળ સ્વરૂપ રામલલા અને તેમનાં ત્રણ ભાઈ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન સહિત 'હનુમાનજી'ને પણ નવીન સિલ્કના નવરત્નો જડેલા વસ્ત્રો પહેરાવાશે. જેની સિલાઈનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. અનેક પેઢીઓથી રામલલાના વસ્ત્રોને તૈયાર કરવાનું કામ કરતા દરજીએ જણાવ્યુ કે, 'વડાપ્રધાન અત્યંત શુભ દિવસે અયોધ્યા આવી રહ્યા છે. અયોધ્યા વાસીઓએ ખુબ જ લાંબો સમય રાહ જોયા બાદ આવો રૂડો અવસર આવ્યો છે. આથી ભગવાન ના સાજ સજ્જામાં કોઈ કમી નહીં રહેવા દઈએ." તેમને કહ્યું કે "5 ઓગષ્ટએ ભગવાન રામ ખાસ લીલા રંગના મખમલી વસ્ત્રો પહેરશે. જેની પર લાલ અને પીળા રંગની બોર્ડર હશે. જેને હીરા, મોતી, પન્ના, સોના, ચાંદીથી ભરતકામ કરેલું હશે .આવા ભગવાનનાં વાઘા અત્યાર સુધીના ઈતિહાસમાં ક્યારેય બનાવવામાં આવ્યા નહીં હોય."

હાલ પણ શ્રી રામલલાને દરરોજ જુદાં જુદાં રંગના વાઘા પહેરાવવામાં આવે છે. સોમવારે સફેદ, મંગળવારે લાલ, બુધવારે લીલા, ગુરુવારે પીળા, શુક્રવારે ક્રીમ, શનિવારે આસમાની અને રવિવારે ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરાવવામાં આવે છે. 5મી ઓગષ્ટે બુધવાર આવે છે. એથી રામલલાને લીલા રંગના વસ્ત્રો અર્પણ કરાશે. 

ઉલ્લેખનીય છે કે આ દરજી પરિવાર ચાર ચાર પેઢીઓથી રામલલા માટે વસ્ત્રોનું સિલાઈકામ કરી રહ્યો છે. તેમણે અને તેમના પરિવારજનોએ એ સમય પણ જોયો છે જ્યારે રામલલા તાળા મારેલા મંદિરમાં બિરાજમાન હતા.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version