Ramotsav In Agra: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે, દેશના આ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયએ પણ ઉજવ્યો દિપોત્સવ.. કહ્યું – વર્ષો જુનો વિવાદ આજે…

Ramotsav In Agra: અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થઈ ગયા છે. જે બાદ સમગ્ર તરફ દિવાળી જેવો માહોલ સર્જાય ગયો છે. તો આવા રામમય વાતાવરણમાં માત્ર હિન્દુ જ નહિ પણ દેશના તમામ સુદાયોએ આ ઉત્સવમાં ભાગ લીધો છે.

by Bipin Mewada
Ramotsav In Agra On the occasion of the inauguration of the Ram temple in Ayodhya, the Muslim community in this part of the country also celebrated Deepotsav.

News Continuous Bureau | Mumbai 

Ramotsav In Agra: અયોધ્યામાં ભવ્ય સમારોહ સાથે રામલલા તેમના મંદિરમાં બિરાજમાન થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ લલાનું અભિષેક પૂર્ણ થઈ ગયુ છે, આ મહોત્સવમાં દેશભરમાંથી પ્રખ્યાત હસ્તીઓ હાજર રહ્યા હતા. રામલલાના અભિષેક ( Ram Mandir prana-pratishtha ) સાથે દેશભરમાં ઉત્સવનો માહોલ છે. કોઈ તહેવાર ન હોવા છતાં, પણ સમગ્ર તરફ દિવાળીથી ઓછુ પણ નહતું. રામલલા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશભરમાં દિવાળી જેવી ખૂબ જ જોરદાર ઉજવણી થઈ રહી છે, વિવિધ સ્થળોએ ( Deepotsav ) દીપોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, રોશનીથી ઘરો શણગારવામાં આવ્યા છે અને આ ઐતિહાસિક ક્ષણને અવિસ્મરણીય બનાવવામાં આવી રહ્યું છે.

રામલાલના પ્રાણ પ્રતિષ્ઠાનો ( Ram Mandir Inauguration ) કાર્યક્રમ અયોધ્યામાં થયો હતો, આ જ પૂષ્ઠભૂમિમાં આગ્રાના ( Agra ) જગદીશપુરામાં આવેલી દરગાહ હઝરત શાહ શૌકત અલીશાહ રહેમતુલ્લાહ આલે દરગાહ/મસ્જિદમાં મુસ્લિમ સમુદાયના ( Muslim community )   લોકોએ દીવા પ્રગટાવીને ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ વર્ષે 500 જૂના વિવાદનો આજે અંત આવ્યો છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશ લઘુમતી આયોગના અધ્યક્ષ અશફાક સૈફી પણ હાજર હતા. ઉત્તર પ્રદેશ લઘુમતી આયોગના અધ્યક્ષ અશફાક સૈફીની હાજરીમાં દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન રામલલા તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થયા હોવાથી, મુસ્લિમ સમાજ પણ રામલલાના મૂર્તિના અભિષેકથી ખુશ છે અને દીપોત્સવની ઉજવણી કરી રહ્યો છે.

વર્ષો જૂનો વિવાદ હતો જે આજે સમાપ્ત થયો છે.

અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠાને કારણે સમગ્ર દેશમાં આનંદ, ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ છે, દરેક જગ્યાએ દીપોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, આ દિવસને દિવાળીના તહેવારની જેમ ઉજવામાં આવી રહ્યો છે. આગ્રામાં પણ ઉત્તર પ્રદેશ અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષે દીપોત્સવ ઉજવ્યો હતો. જે દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકોએ કહ્યું હતું કે, વર્ષો જૂનો વિવાદ આજે સમાપ્ત થયો છે. ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન છે, ભગવાન શ્રી રામ તંબુમાંથી બહાર નીકળીને હવે તેમના ભવ્ય મંદિરમાં પધાર્યા છે. જેના કારણે લઘુમતી સમાજમાં ખુશીનો માહોલ છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Speech In Ayodhya : હવે રામલલ્લા ટેન્ટમાં નહીં રહે… – પ્રાણ પ્રતિષ્ઠા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન..

મુસ્લિમ સમુદાયના લોકોએ વધુમાં કહ્યું હતું કે, મે જોયું છે કે ઘણી જગ્યાએ લઘુમતી સમાજ ભંડારાનું આયોજન કરે છે અને અહીં મુસ્લિમ સમાજ દ્વારા પણ દીપોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એમ કહી શકાય કે અયોધ્યામાં રામલલાના તેના ભવ્ય મંદિરમાં બિરાજમાન થઈને ખુશ અને ઉત્સાહિત છે, આજે દરેક જગ્યાએ દિવાળી જેવો માહોલ છે, ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે, મંદિરોમાં દીપોત્સવનું આયોજન થઈ રહ્યું છે, જાણે દિવાળી આવી ગઈ હોય. અયોધ્યામાં ઉજવણી બાદ હવે આખો દેશ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યો છે અને હું કહીશ કે વર્ષો જૂનો વિવાદ હતો જે આજે સમાપ્ત થયો છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More