Chandrayaan 3: ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાને ચંદ્ર પર અશોક સ્તંભ અને ઈસરોની અમીટ નિશાની છોડી દીધી, જાણો કેવી રીતે આ કર્યું? હવે આગળ શું? વાંચો સંપુર્ણ વિગતો વિગતવાર રીતે…

Chandrayaan 3: ઈસરોના જણાવ્યા અનુસાર, રોવર પ્રજ્ઞાન ચંદ્ર લેન્ડર વિક્રમના સોફ્ટ લેન્ડિંગના અઢી કલાક બાદ બહાર આવ્યું હતું. જેમ જેમ તે તેની યાત્રામાં આગળ વધશે તેમ તેમ ચંદ્ર પર અશોક સ્તંભ અને ઈસરોના ચિહ્નો છપાતા જશે.

by Zalak Parikh
rover pragyan rolls out of chandrayaan 3 lander near moons

News Continuous Bureau | Mumbai 

Chandrayaan 3: 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર ચંદ્રયાન-3 (Chandrayaan 3) ના સોફ્ટ લેન્ડિંગ પછી, રોવર પ્રજ્ઞાન (Pragyan Rover) પણ લેન્ડર વિક્રમમાંથી બહાર આવ્યું. લેન્ડિંગના લગભગ 2.30 કલાક પછી પ્રજ્ઞાન બહાર આવ્યું. પ્રજ્ઞાને ચંદ્ર પર અશોક સ્તંભ (Ashok Stambh) અને ઈસરો (ISRO) ના નિશાન છોડી દીધા છે.

ચંદ્ર પર લેન્ડર વિક્રમના સોફ્ટ લેન્ડિંગ પછી, આગળનું કામ તેના ખોળામાં બેઠેલા રોવર પ્રજ્ઞાનને બહાર કાઢવાનું હતું. હવે વાસ્તવિક મિશન શરૂ થશે અને વિક્રમ અને પ્રજ્ઞાન સાથે મળીને ચંદ્રના દક્ષિણ ધ્રુવની સ્થિતિ વિશે જણાવશે. ઈસરોના જણાવ્યા અનુસાર રોવર પ્રજ્ઞાન લેન્ડર વિક્રમમાંથી બહાર આવી ગયું છે અને તેણે ચંદ્ર પર અશોક સ્તંભ અને ઈસરોના પગના નિશાન છોડી દીધા છે. પ્રજ્ઞાન હવે ચંદ્ર પર 14 દિવસ સુધી અભ્યાસ કરશે અને ડેટા એકત્રિત કરીને લેન્ડર વિક્રમને મોકલશે. અહીંથી જમીન પર બેઠેલા ઈસરોના વૈજ્ઞાનિકોને તમામ માહિતી મોકલવામાં આવશે.

 

કેવી રીતે રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર દેશની છાપ છોડી રહ્યું છે?

જેમ જેમ રોવર પ્રજ્ઞાન આગળ વધી રહ્યું છે, તેમ તે ચંદ્રની સપાટી પર અશોક સ્તંભ અને ઈસરોના નિશાન છોડી રહ્યું છે. પ્રજ્ઞાનના પૈડાં પર ISRO અને અશોક સ્તંભના નિશાન બનાવવામાં આવ્યા છે, તેથી જેમ જેમ તે આગળ વધશે તેમ તે ચંદ્રની સપાટી પર આ નિશાનો છોડી દેશે. ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ પહેલા ઈસરોએ આ અંગે જાણકારી આપી હતી. તેમાં રોવરની એક બાજુના પૈડાં પર ISROનું ચિહ્ન છે અને બીજી બાજુના પૈડાં પર અશોક સ્તંભનું ચિહ્ન છે.

રોવર પ્રજ્ઞાન લેન્ડિંગના અઢી કલાક પછી કેમ બહાર આવ્યું?

ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ દરમિયાન ઘણી બધી ધૂળ ઉડવા લાગી હતી. ત્યાં પૃથ્વીની તુલનામાં ગુરુત્વાકર્ષણ ઘણું ઓછું છે, જેના કારણે ત્યાં પૃથ્વી પર જેટલી ઝડપથી ધૂળ જમા થતી નથી. ઈસરોના વૈજ્ઞાનિકોએ પહેલા ધૂળ થાળે પડે તેની રાહ જોઈ અને પછી રોવરને નીચે લાવ્યા. જો તેને લેન્ડિંગ પછી તરત જ ટેકઓફ કરવામાં આવ્યું હોત તો તેના કેમેરા પર ધૂળ જામી હોત અને રોવરના સાધનોને પણ નુકસાન થઈ શકે તેમ હતું. રોવરને મિશન પૂર્ણ કરવામાં સમસ્યા આવી શકી હોત. 

આ સમાચાર પણ વાંચો : Kharif Season Rice : સરકારે ચોખાની ખરીદીના લક્ષ્યાંકમાં કર્યો વધારો, ખરીફ સિઝનમાં આટલા લાખ ટન ચોખાની કરશે ખરીદી…જાણો ક્યાં રાજ્યથી કેટલા ટન લાખ ચોખા ખરીદશે….

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More