અમુક દેશોમાં કોરોનાનું સંકટ કાયમ; પરદેશથી આવનારાઓ માટે આ નિયમનું કડક રીતે પાલન કરવાનો કેન્દ્રનો આદેશ: જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

ગુરુવાર

ભારતમાં કોરોનાનું સંકટ ઓસરી ગયું છે. અહીંનું જીવન પૂર્વવત થઇ રહ્યું છે, પરંતુ એવા ઘણા દેશો છે જ્યાં કોરોનાનો પ્રકોપ કાયમ છે. તેથી આ દેશોમાંથી ભારત આવનારા નાગરિકોએ કોરોના નિયમોનું કઠોર પણે પાલન કરવું પડશે. તેવો કડક આદેશ આપવામાં આવ્યો છે. ગઈકાલે કેન્દ્ર સરકારે ભારતમાં આવનારા પરદેશી પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. તે મુજબ ભારતમાં પ્રવેશનાર દરેક પ્રવાસીએ આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દાખવવો ફરજીયાત રહેશે. 

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટી ગઇ છે, પરંતુ મહામારી પૂર્ણપણે સમાપ્ત થઈ નથી. તેથી સરકાર દ્વારા પૂર્ણ કાળજી રાખીને જ લોકડાઉન શિથિલ કરવામાં આવી રહ્યું છે. તે સંદર્ભે બુધવારે નવી માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી છે. પરદેશી પ્રવાસીઓએ ભારતમાં એન્ટ્રી કરતી વખતે 72 કલાક પહેલાંનો આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે. સાથે જ તે રિપોર્ટ સાચો હોવાનો પુરાવો પણ આપવો પડશે. 

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ હનીમૂન પર ગયા છે? અમૃતા ફડણવીસ નો સણસણતો સવાલ.

સરકારે કોરોના સંક્રમણની દ્રષ્ટિએ જોખમકારક એવા દેશોની યાદી તૈયાર કરી છે. જેમાં યુરોપના દેશ, ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરિશસ, ન્યૂઝીલેન્ડ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More