Sealdah Rajdhani Express: રાજધાની એક્સપ્રેસમાં સામાન્ય બોલાચાલીમાં નિવૃત્ત આર્મી જવાને ચલાવી ગોળી … જાણો શું છે આ સંપુર્ણ પ્રકરણ..વાંચો વિગતે અહીં..

Sealdah Rajdhani Express: સિયાલદહ રાજધાની ટ્રેનમાં અચાનક બંદૂકની ગોળીનો અવાજ સંભળાતાં ગભરાટ ફેલાઈ ગયો હતો.બંદૂકની ગોળીના સમાચાર ફેલાતાં જ રેલવે પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો.

by Hiral Meria
Sealdah Rajdhani Express open Firing in Sealdah Rajdhani express train

News Continuous Bureau | Mumbai 

Sealdah Rajdhani Express: સિયાલદહ રાજધાની ટ્રેનમાં ( Express Train ) અચાનક બંદૂકની ગોળીનો અવાજ સંભળાતાં ગભરાટ ફેલાઈ ગયો હતો.બંદૂકની ગોળીના સમાચાર ફેલાતાં જ રેલવે પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા આરપીએફના જવાનો ( RPF personnel ) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટિકિટને લઈને વિવાદ બાદ આરોપીએ ટીટીઈ ( TTE ) પર જ ગોળીબાર ( Firing ) કર્યો હતો. સદ્ભાગ્યની વાત એ છે કે સમગ્ર ઘટના દરમિયાન કોઈને ગોળી વાગી નથી. આરોપી દારૂના નશામાં હોવાનું કહેવાય છે. ઉપરાંત, તેની ઓળખ પંજાબના ગુરદાસપુરના રહેવાસી નિવૃત્ત સૈનિક ( retired soldier ) તરીકે કરવામાં આવી છે.

સિયાલદહ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની બોગી નંબર B-8માં સેનાના એક નિવૃત્ત જવાને પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળીબાર કર્યો હતો. હાલમાં, આરોપી નિવૃત્ત આર્મી સૈનિકની કોડરમા જીઆરપી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેને તબીબી તપાસ માટે સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. RPFએ સેનાના નિવૃત્ત સૈનિક હરપિન્દર સિંહને નશાની હાલતમાં કોડરમા સ્ટેશન પર સિયાલદહ રાજધાની એક્સપ્રેસમાંથી ઉતાર્યો છે. સેનાના નિવૃત્ત જવાને થર્ડ એસી કોચના બાથરૂમ પાસે પોતાની રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું.

નશામાં રિટાર્યડ સૈનિકે ( retired soldier ) ચલાવી ગોળી…

ઘટના અંગે એવું કહેવાય છે કે હરપિન્દર સિંહ પાસે 12301 હાવડા નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ હતી અને તે નશાની હાલતમાં ધનબાદ સ્ટેશનથી સિયાલદાહ રાજધાની એક્સપ્રેસમાં ચડ્યો હતો. અહીં, માટારી સ્ટેશન નજીક, ટ્રેન ઉપડ્યાની થોડીવારમાં, એક નિવૃત્ત આર્મી સૈનિક ખોટી ટ્રેનમાં ચઢવા બદલ TTE સાથે બોલાચાલી સર્જાઈ હતી અને ગુસ્સામાં નિવૃત્ત આર્મી સૈનિકે તેની લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી ચલાવી હતી. રિવોલ્વરમાં 6 ગોળીઓ ભરેલી હતી, જેમાંથી તેણે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. કોડરમા સ્ટેશન પર ઉતારી દેવાયા બાદ કોડરમા આરપીએફ અને જીઆરપી પોલીસ આ ઘટનાને અંજામ આપનાર નિવૃત્ત આર્મી સૈનિકની પૂછપરછ કરી રહી છે. આરોપી રિટાયર્ડ સૈનિક હરપિંદર સિંહ ગુરદાસપુરનો રહેવાસી છે અને વર્ષ 2019માં શીખ રેજિમેન્ટમાંથી હવાલદારના પદ પરથી નિવૃત્ત થયો હતો. હાલમાં તે ધનબાદમાં કોલીરીમાં સિક્યોરિટી કંપનીમાં કામ કરતો હતો.

આ સમાચાર પણ વાંચો  :  RBI Action: તમે રોજ જે એપથી કરો છો પેમેન્ટ, તેના પર RBIએ ચલાવી ચાબુક, હવે ભરવો પડશે આટલો મોટો દંડ. જાણો શું છે કારણ..

કોડરમા સ્ટેશન પર ઉતારતી વખતે પણ સેનાના નિવૃત્ત સૈનિક દારૂના નશામાં હતો. મેડિકલ ચેકઅપ માટે જતાં તેણે ટ્રેનમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો અને પોતાની ભૂલ બદલ પસ્તાવો વ્યક્ત કર્યો હતો. નશામાં હોવાને કારણે તે પૂછપરછ દરમિયાન પ્રશ્નોના યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. તેણે મીડિયા સમક્ષ કબૂલ્યું હતું કે તે નશામાં હતો અને તેણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More