Sudha Murty: ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન..

Sudha Murty: પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે નોમિનેટ કરી છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુધા મૂર્તિને અભિનંદન આપતાં કહ્યું કે આ મહિલા શક્તિનો સશક્ત પુરાવો છે.

by kalpana Verat
Sudha Murty President nominates Sudha Murty to Rajya Sabha, PM Modi informs

  News Continuous Bureau | Mumbai 

Sudha Murty: ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની અને પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિ ( Sudha Murty ) ને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા ( Rajya Sabha )  માટે નોમિનેટ ( Nominates ) કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) એ પોતાના એક્સ હેન્ડલ પર આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનના પ્રમુખ પણ છે. 

પીએમએ X ( ટ્વિટર ) પર લખ્યું, “મને ખુશી છે કે ભારત ( India ) ના રાષ્ટ્રપતિ ( President )સુધા કૃષ્ણમૂર્તિને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અજોડ અને પ્રેરણાદાયી રહ્યું છે. રાજ્યસભામાં તેણીની હાજરી એ આપણી ‘મહિલા શક્તિ’નો એક શક્તિશાળી પ્રમાણપત્ર છે, જે આપણા દેશના ભાગ્યને ઘડવામાં મહિલાઓની શક્તિ અને સંભવિતતાનું ઉદાહરણ આપે છે. હું તેમને સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.

સુધા મૂર્તિએ વ્યક્ત કરી ખુશી 

સુધા મૂર્તિએ રાજ્યસભા માટે નામાંકિત થવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે તે અત્યારે ભારતમાં નથી પરંતુ મહિલા દિવસ પર તેના માટે આ એક મોટી ભેટ છે. દેશ માટે કામ કરવું એ નવી જવાબદારી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

આ સમાચાર પણ વાંચો : Peri Peri Paneer Fried Rice Recipe : ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ પેરી-પેરી પનીર ફ્રાઈડ રાઇસ, નોંધી લો રેસિપી..

કોણ છે સુધા મૂર્તિ?

તમને જણાવી દઈએ કે સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન હોવાની સાથે શિક્ષક અને લેખક પણ છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે. તેમનો જન્મ 19 ઓગસ્ટ 1950ના રોજ શિગાંવમાં થયો હતો. તેમણે 1978માં ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ સાથે લગ્ન કર્યા. તેઓને એક પુત્રી અક્ષરા મૂર્તિ છે, જે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની પત્ની છે. સુધા મૂર્તિના પુત્રનું નામ રોહન મૂર્તિ છે. 74માં પ્રજાસત્તાક દિવસના અવસર પર તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

જમાઈ બ્રિટનના વડાપ્રધાન છે

સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિને બે બાળકો છે. એક પુત્રી અક્ષતા મૂર્તિ અને પુત્ર રોહન મૂર્તિ. તે યુકેના પીએમના સાસુ છે. તેમની પુત્રી અક્ષતાના લગ્ન બ્રિટનમાં વડાપ્રધાન ઋષિ સુનક સાથે થયા છે. જ્યારે પતિ નારાયણ મૂર્તિ પોતાની કંપની શરૂ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે તેમણે તેમને પૈસાથી ટેકો આપ્યો, એટલું જ નહીં, પોતાની નોકરી છોડીને, સુધા મૂર્તિએ તેમના પતિને તેમની કંપની શરૂ કરવામાં દરેક મોરચે મદદ કરી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More