હેલિકોપ્ટર ક્રેશ કેસ: એરફોર્સે દુર્ઘટનાના કારણની તપાસ માટે બનાવી ટ્રાઇ-સર્વિસ કોર્ટ ઑફ ઇન્ક્વાયરી, કરી આ ખાસ અપીલ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

શુક્રવાર

તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત અને તેમની પત્ની સહિત 13 લોકો શહીદો થતા દેશમાં શોકની લહેર છે. 

આ દરમિયાન દુર્ઘટનાને લઈને અનેક અટકળો પણ લગાવવામાં આવી રહી છે. 

અટકળો વચ્ચે, ભારતીય વાયુસેનાએ કહ્યું કે, દુર્ઘટનાના કારણની તપાસ માટે ટ્રાઇ-સર્વિસ કોર્ટ ઑફ ઇન્ક્વાયરી બનાવવામાં આવી છે અને ઝડપી તપાસ હાથ ધરવામાં આવશે.

સાથે એમ પણ કહ્યું કે શહીદોની ગરિમાનું સન્માન કરવા માટે, પાયાવિહોણી અટકળો ટાળી શકાય છે.

ગત 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુરમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા છે

વેપારીઓ માટે વજન-તોલ-માપ નિયમો બાબતે ઓનલાઈન પરિસંવાદ.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More