News Continuous Bureau | Mumbai
Tahreek-E- Hurriyat: ભારત સરકારે ( Indian Govt ) ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) 1967ની કલમ 3(1) હેઠળ ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર ( Jammu Kashmir ) (TeH)’ને ‘ગેરકાનૂની સંગઠન’ ( Unlawful Association ) તરીકે જાહેર કર્યું. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહે ‘X’ પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે “આ સંગઠન J&K ને ભારત ( India ) થી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ જૂથ J&K માં અલગતાવાદને વેગ આપવા માટે ભારત વિરોધી પ્રચાર અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખતું જોવા મળે છે”.
ગૃહમંત્રીએ કહ્યું કે “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ( PM Modi ) ની આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ હેઠળ, કોઈપણ વ્યક્તિ અથવા સંગઠન ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જોવા મળે તો તેને તાત્કાલિક નિષ્ફળ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : PM Modi : પ્રધાનમંત્રી 2 થી 3 જાન્યુઆરી 2024 ના રોજ તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાત લેશે
તહરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH) નો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવાનો અને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો છે. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને વેગ આપવા માટે આતંકવાદ અને ભારત વિરોધી પ્રચારમાં સામેલ છે, જે ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતા માટે પ્રતિકૂળ છે. આ સંગઠન વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, આર્મ્સ એક્ટ, RPC અને IPC વગેરેની વિવિધ કલમો હેઠળ ઘણા ફોજદારી કેસ નોંધાયેલા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.