Site icon

મોદી કેબિનેટના આ મંત્રી વિમાનમાં સહપ્રવાસી માટે બન્યા દેવદૂત; સરકારી પ્રોટોકોલ તોડી આવી રીતે બચાવ્યા પ્રાણ: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 17 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ.ભાગવત કરાડ અત્યારે ચર્ચામાં છે. તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. વાસ્તવમાં ડૉ.ભાગવત કરાડએ મંગળવારે વિમાનમાં હાઈ બ્લડ પ્રેશરથી ચક્કર આવતા એક પ્રવાસીની કોઈપણ સરકારી પ્રોટોકોલ વિના સારવાર કરી હતી. જેના કારણે દર્દીને સમયસર પ્રાથમિક સારવાર મળી અને તેની સ્થિતિમાં પહેલાની સરખામણીમાં સુધારો થયો. ડોક્ટરની આ સેવાથી પ્લેનમાં સવાર તમામ મુસાફરોએ તેમની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે હંમેશા દિલથી ડૉક્ટર, મારા સાથીએ અદ્ભુત કામ કર્યું."

ડૉ. ભાગવત કરાડે મંગળવારે વહેલી સવારે વિમાન દ્વારા દિલ્હીથી મુંબઈ જઈ રહ્યા હતા. દરમિયાન ટેક-ઓફના લગભગ એક કલાક પછી એક પ્રવાસીએ અસ્વસ્થતાની ફરિયાદ કરી. ફ્લાઇટમાં અચાનક એલાર્મ વાગ્યું કારણ કે મોટાભાગના અન્ય મુસાફરો સૂતા હતા. કેબિન ક્રૂએ તરત જ ફ્લાઇટમાં ડૉક્ટરને બોલાવ્યા, પરંતુ તે પહેલાં ડૉક્ટર ભાગવત પોતાની સીટ પરથી ઊભા થયા અને પેસેન્જરની મદદ કરવા પહોંચ્યા. વિમાનના ઈમરજન્સી કિટમાંથી તે પ્રવાસીઓને ઇન્જેક્શન આપ્યું હતું. જ્યારે ફ્લાઇટ મુંબઈમાં લેન્ડ થઈ ત્યારે પેસેન્જરને વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

ધોળો હાથી સાબિત થયેલી મોનોરેલને ખોટમાંથી બહાર કાઢવા સરકાર ભરશે હવે આ પગલું, જાણો વિગત.
  

વ્યવસાયે સર્જન ડૉ.ભાગવત કરાડએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સહ પ્રવાસીની મદદ કરી. આ દરમિયાન તેમણે કેન્દ્રીય મંત્રી હોવાનો પ્રોટોકોલ પણ તોડ્યો હતો. ડૉક્ટર હોવાને કારણે તે દર્દીનો જીવ બચાવવાનું સૌથી મહત્વપૂર્ણ હતું. પ્લેનમાં હાજર તમામ મુસાફરો પણ આ આખું દ્રશ્ય જોઈ રહ્યા હતા. 

આ સમગ્ર અનુભવ ડૉ. ભાગવતે ફેસબુક પર પોસ્ટ પર કર્યો છે અને લખ્યું છે કે તેમને જીવનમાં આવા ઘણા અનુભવો થયા છે. જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાથી ઘણી ખુશી અને સંતોષ મળે છે.

ડૉ. ભાગવત કરાડ જુલાઈ 2021માં નાણા રાજ્ય મંત્રી તરીકે મોદી કેબિનેટમાં જોડાયા હતા. તેઓ મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ છે.

Mumbai-Ahmedabad Vande Bharat Express: પશ્ચિમ રેલવેનો મોટો ધમાકો! મુંબઈ-અમદાવાદ વંદે ભારતમાં કોચની સંખ્યા વધીને ૨૦ થઈ; મુસાફરો માટે ખુશીના સમાચાર
Gurmeet Ram Rahim Acquittal HC: પત્રકાર હત્યા કેસમાં મોટો ઉલટફેર! ગુરમીત રામ રહીમ નિર્દોષ જાહેર; હાઈકોર્ટે કેમ પલટાવ્યો નીચલી અદાલતનો ચુકાદો? જાણો વિગત.
Finance Ministry Report: ઈઝરાયેલ-ઈરાન સંકટથી ભારતનું બજેટ ખોરવાશે! રૂપિયો તળિયે જવાની અને મોંઘવારી વધવાની આશંકા; જાણો નાણા મંત્રાલયની ચેતવણી
LPG Price Hike: યુદ્ધની આગ રસોડા સુધી પહોંચી! મિડલ ઈસ્ટ ટેન્શન વચ્ચે રાંધણ ગેસમાં થયો વધારો; શું હજુ પણ વધી શકે છે કિંમતો?.
Exit mobile version