Site icon News Continuous Bureau | Mumbai

UP Storm Deaths May 2026। યુપીમાં કુદરતનો પ્રકોપ ભયાનક આંધીતુફાનમાં ૫૪ લોકોના કરુણ મોત, એકલા પ્રયાગરાજમાં જ ૧૬ જીવ ગયા; જાણો અત્યારે કેવી છે સ્થિતિ?

UP Storm Deaths May 2026। મિર્ઝાપુર, ભદોહી અને કાનપુરમાં ભારે તબાહી; હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થતા જનજીવન ઠપ, અનેક મકાનો જમીંદોસ્ત.

UP Storm Deaths May 2026। યુપીમાં કુદરતનો પ્રકોપ ભયાનક આંધીતુફાનમાં ૫૪ લોકોના કરુણ મોત, એકલા પ્રયાગરાજમાં જ ૧૬ જીવ ગયા; જાણો અત્યારે કેવી છે સ્થિતિ?

UP Storm Deaths May 2026। યુપીમાં કુદરતનો પ્રકોપ ભયાનક આંધીતુફાનમાં ૫૪ લોકોના કરુણ મોત, એકલા પ્રયાગરાજમાં જ ૧૬ જીવ ગયા; જાણો અત્યારે કેવી છે સ્થિતિ?

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

UP Storm Deaths May 2026। ઉત્તર પ્રદેશમાં બુધવારે મોડી સાંજે આવેલા ભયાનક આંધીતુફાને રાજ્યભરમાં કાળો કહેર વર્તાવ્યો છે. આ કુદરતી આપત્તિમાં રાજ્યના અલગઅલગ જિલ્લાઓમાં કુલ 54 લોકોના કરૂણ મોત થયા છે. તેજ પવનને કારણે અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો જડમૂળથી ઉખડી ગયા હતા, જ્યારે અનેક કાચા મકાનો અને દિવાલો ધરાશાયી થવાને કારણે લોકો કાટમાળ નીચે દબાયા હતા. આ તુફાનની સાથે અનેક સ્થળોએ આકાશી વીજળી પડવાની ઘટનાઓ પણ નોંધાઈ છે.

પ્રયાગરાજ અને ભદોહીમાં સૌથી વધુ મૃત્યુ

આ કુદરતી હોનારતમાં સૌથી વધુ જાનહાનિ પ્રયાગરાજ અને ભદોહી જિલ્લામાં થઈ છે. પ્રયાગરાજમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે ભદોહીમાં આંધી-તુફાનને કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભદોહીના સુરિયાવાં વિસ્તારમાં એક મકાન પર ઝાડ પડવાને કારણે માતા અને તેની બે પુત્રીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ કુમારે પુષ્ટિ કરી છે કે ઘાયલોને વારાણસી (BHU) રિફર કરવામાં આવ્યા છે.

મિર્ઝાપુર અને ફતેહપુરમાં પણ હાહાકાર

મિર્ઝાપુરમાં પણ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે, જ્યાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જેમાંથી 7 મોત એકલા મિર્ઝાપુર સદર તાલુકામાં થયા છે. ફતેહપુરમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે હરદોઈમાં 2, કાનપુર દેહાત અને કૌશામ્બીમાં 1-1 વ્યક્તિનું મોત થયું છે. તેજ પવનને કારણે વીજળીના થાંભલા ઉખડી જતા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો.

ખેતી અને પશુધન પર માઠી અસર

તુફાનને કારણે માત્ર માનવ જિંદગી જ નહીં પણ પશુધનને પણ મોટી અસર થઈ છે. ભદોહીમાં જ 16 પશુઓના મોત થયાના અહેવાલ છે. કૌશામ્બીમાં આંધી પછી લાગેલી આગમાં 12 પરિવારોના ઘર બળીને રાખ થઈ ગયા છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર ઝાડ પડવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયું છે અને અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની ખાતરી આપી છે.

👉 આ સમાચાર વાચો:
USChina Summit 2026| બીજિંગમાં ટ્રમ્પનું ભવ્ય સ્વાગત અને શી જિનપિંગ સાથેની એ મુલાકાત… જાણો બંને નેતાઓ વચ્ચે કયા મહત્વના મુદ્દાઓ પર થઈ રહી છે ચર્ચા?

Old Currency Notes Rumor Debunked શું ૨૦૦૫ પહેલાની ચલણી નોટો બંધ થઈ રહી છે? બેંક ઓફ મહારાષ્ટ્રની મોટી સ્પષ્ટતા
Income Tax Notice to Student મજૂરની પુત્રીને ઈન્કમ ટેક્સ વિભાગની ૨૦ કરોડની નોટિસ આધારપાન કાર્ડનો દુરુપયોગ થયાનો આક્ષેપ
Muzhiyan Kulam Restoration પુડુચેરીનું 400 વર્ષ જૂનું ‘મુઝિયાન કુલમ’ ફરી જીવંત, નિર્મલા સીતારમણે કર્યું લોકાર્પણ
New Toll Tax Rules વાહનચાલકો માટે મોટી રાહત, હાઈવે પર હવે 60 કિમી સુધી નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ
Exit mobile version