Site icon

દેશમાં રસીકરણ 50 ટકા ઘટ્યું; સિરમ ઇન્સ્ટિટ્યૂટે આપ્યું આ નિવેદન જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

દેશમાં રસીકરણની ગતિ ઘીમી થઈ છે, એવામાં સિરમ ઇન્સ્ટિટ્યૂટે એક મહત્વનું નિવેદન આપ્યું છે. સિરમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે એક હેલ્થ પ્લૅટફૉર્મ તરફથી આયોજિત વર્ચ્યુઅલ સેમિનારમાં કહ્યું કે કેન્દ્ર સરકારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન-WHO)ની ગાઇડલાઇનને અને વેક્સિનના પુરવઠાનું આકલન કર્યા વગર જ વેક્સિનેશનનો વિસ્તાર વધાર્યો છે.

દેશમાં અનેક જગ્યાએથી વેક્સિનની અછત હોવાની વાત સંભળાય છે. એનો જવાબ જાધવે આપ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “સરકારે તૈયારી વગર જ એકસાથે બે વયજૂથનું વેક્સિનેશન શરૂ કરી દીધું. સરકારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપેલી ગાઇડલાઇન મુજબ ચાલીને જ વેક્સિનેશનમાં લોકોને પ્રાથમિકતા આપવી જોઈતી હતી. શરૂઆતમાં 30 કરોડ લોકોને વેક્સિન આપવા માટે 60 કરોડ ડોઝની જરૂર હતી.” આ ટાર્ગેટ સુધી કંપની પહોંચે એ પહેલાં જ સરકારે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોની સાથોસાથ18થી 44 વયજૂથના લોકોનો વેક્સિનેશન કાર્યક્રમ પણ શરૂ કરી દીધો. એવો આરોપ જાધવે લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪૦ દિવસમાં દેશમાં રસીકરણની ગતિ અત્યંત ધીમી પડી છે અને રસીકરણ ૫૦ ટકા જેટલું ઘટી ગયું છે. જાધવે વાતને વિરામ આપતાં કહ્યું હતું કે રસી લીધા બાદ પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. એથી રસી લીધા બાદ પણ કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ
Exit mobile version