Waqf Amendment Bill: વકફ સુધારા બિલ માટે કરાઈ સંયુક્ત સંસદીય સમિતિની રચના; લોકસભાના 21 સભ્યો તો રાજ્યસભાના 10 સભ્યોને કરાયા શામેલ; જાણો કોને મળી જગ્યા..

Waqf Amendment Bill: વકફ સુધારા બિલ માટે સરકારે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચના કરી છે. કમિટીમાં કુલ 31 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે.

by kalpana Verat
Waqf Amendment Bill Lok Sabha Speaker constitutes 31-member JPC, Owaisi, Imran Masood included

News Continuous Bureau | Mumbai

Waqf Amendment Bill: સરકારે વકફ સુધારા બિલ માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચના કરી છે. કમિટીમાં કુલ 31 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે. આ કમિટી હવે વકફ બિલ પર મંથન કરશે અને આગામી સંસદ સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે તેનો રિપોર્ટ સરકારને સુપરત કરશે.

 

Waqf Amendment Bill:  જેપીસીમાં આ સાંસદોને સ્થાન આપવામાં આવ્યું 

 જેપીસીમાં જે 21 લોકસભા સાંસદોને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં ભાજપના જગદંબિકા પાલ, નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, અપરાજિતા સારંગી, સંજય જયસ્વાલ, દિલીપ સૈકિયા, અભિજીત ગંગોપાધ્યાય અને ડીકે અરુણાનો સમાવેશ થાય છે. આ સિવાય કોંગ્રેસ તરફથી ગૌરવ ગોગાઈ, ઈમરાન મસૂદ અને મોહમ્મદ જાવેદને આ સમિતિનો ભાગ બનાવવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટીના સભ્ય મૌલાના મોહિબુલ્લા નદવી, તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી, ડીએમકેના એ. રાજા, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના લવુ શ્રીકૃષ્ણ, જનતા દળ (યુનાઈટેડ)ના દિલેશ્વર કામત, શિવસેના (યુબીટી)ના અરવિંદ સાવંત, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના સુરેશ ગોપીનાથ મ્હાત્રે, શિવસેનાના નરેશ ગણપત મ્હસ્કે, લોક જનશક્તિ પાર્ટી ( રામવિલાસના અરુણ ભારતી અને AIMIMના અસદુદ્દીન ઓવૈસી પણ આ સમિતિમાં સામેલ છે.

આ સમાચાર પણ વાંચો:  Waqf Board Bill 2024 : વકફ સંશોધન બિલ પર વિપક્ષની માંગ સરકારે સ્વીકારી, અધ્યક્ષ સામે મુક્યો આ પ્રસ્તાવ..

મહત્વનું છે કે લોકસભામાં, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વક્ફ (સુધારા) બિલ, 2024માં JPC માટે 21 લોકસભા સાંસદોના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે રાજ્યસભાને JPCમાં નિયુક્ત કરવા માટે 10 સભ્યોના નામની ભલામણ કરવા પણ કહ્યું હતું.  

Waqf Amendment Bill: માંગણી મુજબ બિલને સંસદની સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો

લોકસભાએ રાજ્યસભાને આ સંયુક્ત સમિતિ માટે 10 સભ્યોની પસંદગી કરવા અને નીચલા ગૃહને જાણ કરવાની ભલામણ કરી છે. સરકારે ગુરૂવારે લોકસભામાં વકફ બોર્ડનું સંચાલન કરતા કાયદામાં સુધારા સાથે સંબંધિત બિલ રજૂ કર્યું હતું, જેને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ચર્ચા અને દલીલો બાદ સંયુક્ત સમિતિને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગૃહમાં ‘વક્ફ (સુધારા) બિલ, 2024’ રજૂ કર્યું અને વિવિધ પક્ષોની માંગણી મુજબ બિલને સંસદની સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો. આ અંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, હું તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કર્યા બાદ આ સંયુક્ત સંસદીય સમિતિની રચના કરીશ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More