Site icon

બાબા રામદેવ ની દેશી દવા લોન્ચ થયા બાદ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભર્યુ આ પગલું…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

અમદાવાદ

Join Our WhatsApp Community

22 ફેબ્રુઆરી 2021

બાબા રામદેવ એ કોરોના માટે એક દવા બનાવી છે. ગત સપ્તાહે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી તેમજ આયુષ મંત્રી પોતે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાબા રામદેવે ઘોષણા કરી હતી કે તેમના દ્વારા બનાવવામાં આવેલી નવી દવા પૂરી રીતે વૈજ્ઞાનિક ચકાસણી માંથી પસાર થઈ ચૂકી છે.

હવે બાબા રામદેવના આ નિવેદન પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું નિવેદન સામે આવ્યું છે. કોરોના નું નામ લીધા વિના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટ્વિટરના માધ્યમથી સ્પષ્ટ કર્યું છે કે એક પણ દેશી દવા એવી નથી કે જેને આંતરરાષ્ટ્રીય પણ એ માન્યતા આપવામાં આવી હોય. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે પારંપરિક વૈદકીય ચિકિત્સક હેઠળની એકેય દવાને હજી મંજૂરી આપવામાં આવી નથી.

આમ એક તરફ બાબા રામદેવ કોરોના ની દવા વેચી રહ્યું છે ત્યારે બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ મામલે પોતાની જાતને દૂર રાખી રહ્યું છે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version