News Continuous Bureau | Mumbai
BCCI Annual Contract List: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રણજી ટ્રોફીમાં ભાગ લેવાની સૂચનાઓને અવગણવા બદલ આઉટ ઓફ ફોર્મ બેટ્સમેન શ્રેયસ ઐયર અને ઈશાન કિશનને તેમના કેન્દ્રીય કરારમાંથી ( central contract ) મુક્ત કર્યા છે. 2023-2024 સીઝન માટે BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી 30 ખેલાડીઓની વાર્ષિક રીટેનરશીપ યાદીમાંથી ( Annual Contract List ) ઐયર અને કિશનના નામ ગાયબ હતા.
A+ ગ્રેડમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જ્યારે આર અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા ગ્રેડ એ કેટેગરીમાં સમાવેશ થાય છે. તો ગ્રેડ B માં સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલના નામ છે.
ગ્રેડ સીમાં 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો…
ગ્રેડ સીમાં 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને રજત પાટીદારનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: દેશમાં પહેલીવાર 3 મહિનાની બાળકી પર બળાત્કાર અને હત્યા કર્યા બાદ ટ્રાન્સજેન્ડરને આપવામાં આવી ફાંસીની સજા.
એક અહેવાલ મુજબ, ગ્રેડ A પ્લસમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. A ગ્રેડને 5 કરોડ રૂપિયા અને B ગ્રેડને 3 કરોડ રૂપિયા મળે છે. સૌથી ઓછા સી ગ્રેડમાં સામેલ ખેલાડીઓને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઈશાન કિશન ( Ishan Kishan ) દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ અધવચ્ચે છોડીને ઘરે પરત ફર્યો હતો. ત્યારથી તે સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર છે. અફઘાનિસ્તાન સામેની ઘરઆંગણે ટી20 શ્રેણી અને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે પણ તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે ઈશાનને ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ ( Domestic Cricket ) રમવું પડશે. પરંતુ ઈશાને રણજી ટ્રોફીથી અંતર જાળવી રાખ્યું છે. તો બીજી તરફ, શ્રેયસ અય્યરે ( Shreyas Iyer ) રણજી ટ્રોફીની ( Ranji Trophy ) ક્વાર્ટર ફાઈનલના એક દિવસ પહેલા એ કહીને રમવાની ના પાડી દીધી હતી કે તે સંપૂર્ણ રીતે ફિટ નથી. આવી સ્થિતિમાં ડોમેસ્ટિક ક્રિકેટથી અંતર રાખવા બદલ બોર્ડે આ બંને ખેલાડીઓથી સામે રોષે ભરાયું છે.