India’s T20 Semifinal Race:ભારતની સેમીફાઇનલની આશા અધ્ધરતાલ! દક્ષિણ આફ્રિકાએ ઘરઆંગણે પછાડ્યું; જાણો હવે કેવી રીતે ભારત આગળ વધી શકશે?.

India’s T20 Semifinal Race: નેટ રનરેટ માઈનસમાં જતા સૂર્યકુમાર યાદવની સેના જોખમમાં; ચેપોક સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વે સામે મોટી જીત મેળવવી અનિવાર્ય.

by Akash Rajbhar
India’s T20 World Cup Semifinal Race Net Run Rate Woes After Proteas Defeat; Crucial Clash Against Zimbabwe Ahead.

News Continuous Bureau | Mumbai

T20 વર્લ્ડ કપ ૨૦૨૬ના સુપર-૮ તબક્કાની શરૂઆતમાં જ ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકા સામે અમદાવાદમાં રમાયેલી મેચમાં ભારતની ૭૬ રને કારમી હાર થઈ છે. આ હારને કારણે ભારતનો નેટ રનરેટ ગગડીને -૩.૮૦૦ થઈ ગયો છે. જે ટીમે વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડ સામે ૨૭૧ જેવો સ્કોર બનાવ્યો હતો, તેની બેટિંગ હવે ઘરઆંગણે જ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. ભારતીય પ્રશંસકોને આશા હતી કે નંબર વન ટીમ હોવાને કારણે ભારતને હોમ કન્ડિશનનો ફાયદો મળશે, પરંતુ અત્યાર સુધી રમાયેલી પાંચમાંથી ચાર મેચોમાં બેટ્સમેનો સ્પિનરો સામે લાચાર દેખાયા છે. હવે ભારતની આગામી ટક્કર ગુરુવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વે સામે છે. સેમીફાઇનલની રેસમાં ટકી રહેવા માટે ભારતને માત્ર જીત નહીં, પરંતુ તોતિંગ માર્જિનથી જીતની જરૂર છે.

વરુણ ચક્રવર્તીની ‘મિસ્ટ્રી’ થઈ હિસ્ટ્રી?

ભારતના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીનું પ્રદર્શન ચિંતાનો વિષય બન્યું છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ વરુણ સામે ખાસ પ્લાન બનાવીને તેની ૪ ઓવરમાં ૪૭ રન ફટકારી દીધા હતા. ટોચની ટીમો હવે વરુણને માત્ર એક ઓફ-સ્પિનર તરીકે રમી રહી છે. જો પીચ પર બોલ ટર્ન ન થતો હોય તો તેની અસરકારકતા ઘટી જાય છે. ન્યુઝીલેન્ડ અને આફ્રિકા સામેની છેલ્લી પાંચ મેચોમાં તેણે ૨૦ ઓવરમાં ૨૦૮ રન આપ્યા છે, જે ભારત માટે ખતરાની ઘંટડી છે.

આ સમાચાર પણ વાંચો : I Saved Pakistan PM’s Life’: ટ્રમ્પનો નવો ‘બોમ્બ’: ‘મારા કારણે ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધ ટળ્યું’; પાક. પીએમના જીવ બચાવવાનો કર્યો દાવો

સેમીફાઇનલ માટે ભારતનું સમીકરણ

ગ્રુપ-૧ માં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝનો રનરેટ ભારત કરતા ઘણો સારો છે.
જીતની જરૂર: ભારતે હવે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ બંનેને હરાવવા પડશે.
રનરેટનું ગણિત: જો ભારત ઝિમ્બાબ્વે સામે પહેલા બેટિંગ કરે અને ૨૨૦ રન બનાવે, તો સામેની ટીમને ૧૨૦ કે તેથી ઓછા રનમાં રોકવી પડશે.
જો પીછો કરવો હોય: જો ઝિમ્બાબ્વે ૧૫૦ રન બનાવે, તો ભારતે આ લક્ષ્ય ૧૧ કે ૧૨ ઓવરમાં હાંસલ કરવું પડશે જેથી રનરેટ પ્લસમાં આવી શકે.

બેટિંગમાં રણનીતિ બદલવાની જરૂર

ICC ટૂર્નામેન્ટની પીચો દ્વિપક્ષીય શ્રેણી કરતા અલગ હોય છે. ન્યુઝીલેન્ડ સામે જે પીચો સપાટ હતી, તેનાથી વિપરીત વર્લ્ડ કપની પીચો સ્પિનરોને મદદરૂપ થઈ રહી છે. ભારતીય બેટ્સમેનો ખાસ કરીને ઓફ-સ્પિનરો સામે ડરેલા જોવા મળી રહ્યા છે. ચેન્નાઈ અને કોલકાતામાં રમાનારી આગામી મેચોમાં જો રણનીતિ નહીં બદલાય, તો ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ઘરઆંગણે જ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ શકે છે.

 

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More