Site icon

CSK new captain : એમએસ ધોનીએ CSKની કેપ્ટન્સી છોડી, ઋતુરાજ ગાયકવાડને ટીમની કમાન મળી.

CSK new captain : આઈપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી પૈકીની એક ચેન્નાઈ સુપર કિંગ્સે આગામી આઈપીએલ સીઝન પહેલા ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. એમએસ ધોનીની જગ્યાએ ઓપનિંગ બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સના નવા કેપ્ટન બન્યા છે. IPLના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલે આ વાતની પુષ્ટિ કરી છે.

CSK new captain M S Dhoni steps down as CSK captain; Ruturaj Gaikwad appointed new skipper

CSK new captain M S Dhoni steps down as CSK captain; Ruturaj Gaikwad appointed new skipper

News Continuous Bureau | Mumbai

CSK new captain : IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે નવા કેપ્ટનની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.  અહેવાલ છે કે એમએસ ધોનીએ અચાનક કેપ્ટનશીપ છોડી દીધી છે અને હવે રુતુરાજ ગાયકવાડને ચેન્નાઈનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ધોનીએ ગત સિઝનમાં ચેન્નાઈને પાંચમી વખત IPL જીતાડ્યું હતું અને હવે તેણે ગાયકવાડને ટીમની કમાન સોંપી છે.

Join Our WhatsApp Community

CSKએ કેપ્ટનશિપને લઈને જારી કરેલા નિવેદનમાં કહ્યું કે, એમએસ ધોનીએ આઈપીએલ 2024ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપી છે. ઋતુરાજ 2019 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન ભાગ છે અને આ સમયગાળા દરમિયાન તેણે IPLમાં 52 મેચ રમી છે.

એમએસ ધોનીનો કેપ્ટનશિપનો રેકોર્ડ

ધોનીએ ચેન્નાઈને પાંચ વખત IPL જીતાડ્યું એટલું જ નહીં, તેણે ટીમને પાંચ વખત ફાઇનલમાં પણ પહોંચાડી. તે એકમાત્ર એવો કેપ્ટન છે જેણે 10 IPL ફાઈનલ રમી છે. ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ 2010, 2011, 2018, 2021 અને 2023માં ચેમ્પિયન બની છે. 2008, 2012, 2013, 2015 અને 2019માં તે ટીમને ફાઇનલમાં લઈ ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : Currency note : હોળીના કલર ચલણી નોટો પર લાગી જાય તો દુકાનમાં ચાલશે કે નહીં? જાણો શું કહે છે RBIના નિયમો

આ ખેલાડીને બનાવવામાં આવ્યો ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો કેપ્ટન 

ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડે ચેન્નાઈ માટે માત્ર 3 સીઝન રમી છે. તેણે 2020માં ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ સિઝનમાં તે માત્ર 6 મેચ જ રમી શક્યો હતો. પરંતુ 2021માં તેને તેની પૂરી તક મળી અને આ ખેલાડીએ એક સદી અને 4 અડધી સદીના આધારે 635 રન બનાવ્યા. 2022માં ગાયકવાડે માત્ર 368 રન બનાવ્યા હતા પરંતુ છેલ્લી સિઝનમાં ગાયકવાડે 16 મેચમાં 590 રન બનાવીને ટીમને ચેમ્પિયન બનાવી હતી. ગાયકવાડે આઈપીએલમાં અત્યાર સુધીમાં 52 મેચ રમી છે અને 39થી વધુની એવરેજથી 1797 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 135થી વધુ છે.

રુતુરાજ ગાયકવાડ પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે. તે રણજીમાં મહારાષ્ટ્રની કેપ્ટનશીપ કરે છે. તેમજ તેમની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ધોની તેના નેતૃત્વના ગુણો જાણે છે અને તેથી જ ગાયકવાડને કેપ્ટનશીપ મળી.

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
Exit mobile version