Site icon News Continuous Bureau | Mumbai

7 મહિના બાદ 15 ઓક્ટોબરથી ફરી એકવાર થિયેટર ખુલશે, સાથે આ છ ફિલ્મ પણ રી-રિલીઝ થશે… જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
14 ઓક્ટોબર 2020

દેશભરના મોટાભાગના થિએટરો કોરોના વાયરસ મહામારી વચ્ચે ફરીથી ખોલવા માટે સુયોજિત છે. આવતીકાલે એટલે કે 15 ઓક્ટોબરથી થિયેટરો ફરી એકવાર ખુલવા જઈ રહ્યા છે. સરકારે 50% બેઠક ક્ષમતા સાથે થિયેટરોને ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. દરમિયાન, ઘણી ફિલ્મો ફરી એકવાર મોટા પડદે રજૂ થશે. આ તે ફિલ્મો છે જે ભૂતકાળમાં મોટા પડદા પર બતાવવામાં આવી છે.

Join Our WhatsApp Channel


 
એક ટ્રેડ એનાલિસ્ટે ટ્વીટ કરીને ફિલ્મ અંગે માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, 'આ અઠવાડિયે થિયેટર ફરીવાર ખુલી રહ્યા છે. છ હિંદી ફિલ્મ આ અઠવાડિયે રી-રિલીઝ માટે તૈયાર છે, જેમાં 'તાન્હાજી', 'વૉર', 'શુભ મંગલ ઝ્યાદા', 'મલંગ', 'થપ્પડ' તથા 'કેદારનાથ' શામેલ છે. આગામી દિવસોમાં અન્ય ફિલ્મના નામે સામે આવશે.'

આ તમામ ફિલ્મમાંથી 'કેદારનાથ' 2018માં રિલીઝ થઈ હતી. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી અને તેથી જ સુશાંતના ચાહકો માટે આ ફિલ્મ ફરી વાર રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને અભિષેક કપૂર ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં સુશાંતની સાથે સારા અલી ખાન હતી. સારાની આ ડેબ્યૂ ફિલ્મ હતી.

Jennifer Winget Wedding 2026 ટીવી ક્વીન જેનિફર વિંગેટ આ તારીખે યુકેમાં લેશે સાત ફેરા! જાણો કોણ છે તેનો કરોડપતિ બિઝનેસમેન પતિ વિલિયમ ઇશમાએલ!
Aamir Khan Gouri Spratt Marriage Clarification ‘ટ્રોલર્સને આમિર ખાને આપ્યો જડબાતોડ જવાબ! ત્રીજા લગ્ન અને ‘લવ જેહાદ’ના વિવાદ પર તોડ્યું મૌન, આપ્યું આ મોટું નિવેદન!
Akshaye Khanna Viral Photo Anshula Wedding બોની કપૂરની દીકરીના લગ્નમાં અક્ષય ખન્નાની ધમાકેદાર એન્ટ્રી ‘ધુરંધર’ની સક્સેસ પછી પ્રથમ વખત તસવીરો આવી સામે!
Alia Bhat Enters Tumbbad 2 રણબીર કપૂર બાદ હવે આલિયા ભટ્ટ પણ પૌરાણિક દુનિયામાં કરશે રાજ, ‘તુમ્બાડ ૨’ માં આલિયાના રોલને લઈને મોટો ખુલાસો!
Exit mobile version