Site icon News Continuous Bureau | Mumbai

7 મહિના બાદ 15 ઓક્ટોબરથી ફરી એકવાર થિયેટર ખુલશે, સાથે આ છ ફિલ્મ પણ રી-રિલીઝ થશે… જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
14 ઓક્ટોબર 2020

દેશભરના મોટાભાગના થિએટરો કોરોના વાયરસ મહામારી વચ્ચે ફરીથી ખોલવા માટે સુયોજિત છે. આવતીકાલે એટલે કે 15 ઓક્ટોબરથી થિયેટરો ફરી એકવાર ખુલવા જઈ રહ્યા છે. સરકારે 50% બેઠક ક્ષમતા સાથે થિયેટરોને ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. દરમિયાન, ઘણી ફિલ્મો ફરી એકવાર મોટા પડદે રજૂ થશે. આ તે ફિલ્મો છે જે ભૂતકાળમાં મોટા પડદા પર બતાવવામાં આવી છે.

Join Our WhatsApp Channel


 
એક ટ્રેડ એનાલિસ્ટે ટ્વીટ કરીને ફિલ્મ અંગે માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, 'આ અઠવાડિયે થિયેટર ફરીવાર ખુલી રહ્યા છે. છ હિંદી ફિલ્મ આ અઠવાડિયે રી-રિલીઝ માટે તૈયાર છે, જેમાં 'તાન્હાજી', 'વૉર', 'શુભ મંગલ ઝ્યાદા', 'મલંગ', 'થપ્પડ' તથા 'કેદારનાથ' શામેલ છે. આગામી દિવસોમાં અન્ય ફિલ્મના નામે સામે આવશે.'

આ તમામ ફિલ્મમાંથી 'કેદારનાથ' 2018માં રિલીઝ થઈ હતી. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી અને તેથી જ સુશાંતના ચાહકો માટે આ ફિલ્મ ફરી વાર રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને અભિષેક કપૂર ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં સુશાંતની સાથે સારા અલી ખાન હતી. સારાની આ ડેબ્યૂ ફિલ્મ હતી.

Karan Kundrra| ઘૂંટણિયે બેસી કરણે તેજસ્વીને પહેરાવી વીંટી, દુબઈથી સામે આવ્યા રોમેન્ટિક વિઝ્યુઅલ્સ
Dhurandhar Controversy| બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ પર મોટું સંકટ દેશની સુરક્ષા સાથે બાંધછોડનો આક્ષેપ, હાઈકોર્ટે એક્શન લેવા આપ્યો મોટો આદેશ
Ahaan Panday| થિયેટર્સમાં મચશે ધમાલ! અલી અબ્બાસ ઝફરની નવી ફિલ્મમાં અહાન પાંડેનો જોવા મળશે શાનદાર અંદાજ, ફેન્સ ઉત્સાહિત
Gullak Season 5| મિશ્રા પરિવાર ફરી કરાવશે મનોરંજન, ‘ગુલ્લક 5’ માં આવશે નવો ટ્વિસ્ટ, નોંધી લો રિલીઝ ડેટ
Exit mobile version