Site icon

ટીવી જગત માં શોક ની લહેર- કુબૂલ હૈ ફેમ આ અભિનેત્રી નું 50 વર્ષ ની વયે થયું નિધન-પેરાલિસિસના હુમલા બાદ થી રહેતી હતી બીમાર

News Continuous Bureau | Mumbai

'કુબૂલ હૈ'('Qubool Hai'), 'ઇશ્કબાઝ(Ishqbaaz)' અને 'તેનાલી રામ'(Tenali Ram') જેવી સિરિયલોમાં કામ કરનાર અભિનેત્રી નિશી સિંહનું (Nishi Singh) રવિવારે બપોરે નિધન થયું હતું. પેરાલિસિસના હુમલા(Paralysis attacks) બાદ નિશી સિંહ બીમાર હતી. તેણે બે દિવસ પહેલા જ પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેની આર્થિક સ્થિતિ સારી ન હતી. જે બાદ તેના પતિએ પણ મેડિકલ ખર્ચ (Medical expenses) માટે મદદ માંગી હતી. અભિનેત્રી સુરભી ચંદના(Surbhi Chandna) અને ઈન્ડસ્ટ્રીના કેટલાક અન્ય લોકોએ તેને આર્થિક મદદ કરી. નિશીની પાછળ પતિ સંજય સિંહ ભાડલી(Sanjay Singh Bhadli) અને બે બાળકો છે.

Join Our WhatsApp Community

નિશીના પતિ સંજય સિંહ લેખક અને અભિનેતા છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે એક વર્ષમાં અભિનેત્રી ને બીજો સ્ટ્રોક આવ્યો, જેના કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. સંજય સિંહે કહ્યું, “3 ફેબ્રુઆરીએ બીજા સ્ટ્રોક પછી તે સ્વસ્થ થઈ રહી હતી. જો કે, મે 2022 માં, તેને ફરીથી સ્ટ્રોક આવ્યો અને તેની તબિયત સતત બગડતી રહી. અમે તેને હોસ્પિટલમાં દાખલ કરી અને બાદમાં તેને રજા આપવામાં આવી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેને ગળામાં ઈન્ફેક્શનના કારણે ખાવામાં તકલીફ થઈ રહી હતી. તે ખોરાકમાં માત્ર પ્રવાહી ખોરાક લેતી હતી. અમે બે દિવસ પહેલા જ (16 સપ્ટેમ્બર) તેમનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. તે વાત કરી શકતી ન હતી પણ તે ખૂબ જ ખુશ દેખાતી હતી. મેં તેને તેના મનપસંદ ચણાના લોટના લાડુ ખાવા માટે વિનંતી કરી અને તેણે ખાધું.

આ સમાચાર પણ વાંચો : હમ દો હમારે દો માં જ આ કપલ હતું ખુશ- પછી સૈફ-અમૃતાને જાણે કોની નજર લાગી અને અલગ થઈ ગયા…

સંજય સિંહે વધુમાં કહ્યું કે, 'તેણે જીવિત રહેવા માટે સખત સંઘર્ષ કર્યો. બપોરે 3 વાગ્યાની આસપાસ તેનું મૃત્યુ થયું હતું. સૌથી મોટી સમસ્યા એ છે કે તે 32 વર્ષ સુધી મારી સાથે રહી હતી. તેણીની તબિયત સારી નહોતી, ત્યારે પણ તે મારી સાથે હતી. હવે મારા બાળકો (21 વર્ષનો પુત્ર અને 18 વર્ષની પુત્રી) સિવાય કોઈ નથી. મારી પુત્રીએ તેની માતાની સંભાળ રાખવા માટે તેનો અભ્યાસ છોડી દીધો હતો. જ્યારે માણસ હારે છે, ત્યારે તે બધી બાજુથી હારી જાય છે.સંજય સિંહે  જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીના ઘણા મિત્રોએ તેમને આર્થિક મદદ કરી હતી. તેમાં રમેશ તૌરાની(Ramesh Taurani), ગુલ ખાન, સુરભી ચાંદના અને CINTAA છે.

 

O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Rohit Shetty Firing Case: રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં ખળભળાટ: IMPPA એ CM ફડણવીસ પાસે માંગી ખાસ સુરક્ષા, જાણો પત્રમાં કઈ 3 મોટી માંગણીઓ કરી
Box Office Battle: રિલીઝ પહેલા જ રમત બગડી! ‘ટોક્સિક’ ના કારણે ‘ધુરંધર 2’ ના બિઝનેસ પર સંકટ, શું સાઉથમાં રણવીર સિંહનો જાદુ નહીં ચાલે?
Exit mobile version