News Continuous Bureau | Mumbai
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક સામંથા રૂથ પ્રભુને (Samantha Ruth Prabhu)હિન્દી સિનેમામાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને 'ધ ફેમિલી મેન'(The Family Man 2) અને 'પુષ્પા'ના 'ઓ એન્ટાવા' ગીતે સામંથાની ફેન ફોલોઈંગમાં અનેકગણો વધારો કર્યો છે.થોડા સમય પહેલા જ્યારે સામંથાએ નાગા ચૈતન્યથી છૂટાછેડા (divorce)લેવાની જાહેરાત કરી ત્યારે ચાહકો ચોંકી ગયા હતા.છૂટાછેડાની ઘોષણા પછી, ન તો સામંથાએ ક્યારેય આ વિશે ખુલીને વાત કરી કે ના નાગાએ ક્યારેય આ વિશે કોઈ નિવેદન આપ્યું છે, પરંતુ તાજેતરમાં જ અભિનેત્રીએ જણાવ્યું છે કે લગ્નજીવન કેમ નાખુશ હોય છે.
વાત એમ છે કે, સામંથા ટૂંક સમયમાં કરણ જોહરના શો 'કોફી વિથ કરણ સીઝન 7'માં (Koffee with Karan 7)જોવા મળશે. જેનો એક પ્રોમો કરણે તેના ઈન્સ્ટાગ્રામ(Instagram) પર શેર કર્યો છે. આ પ્રોમોમાં સામંથા પરિણીત જીવન વિશે વાત કરતી જોવા મળી રહી છે. પ્રોમોમાં અભિનેત્રી કહે છે, 'અનહેપ્પી મેરેજ (Unhappy marriage)નું કારણ તમે જ છો (એટલેકે કરણ જોહર) તમે જીવનને કભી ખુશી કભી ગમ (K3G) તરીકે જુઓ છો, પરંતુ વાસ્તવિક જીવન 'KGF' જેવું છે. સામંથાની વાત સાંભળીને કરણ પણ હસી પડે છે. સામન્થા અને કરણ જોહર વચ્ચેનો આ રમૂજી સંવાદ હાલ ઈન્ટરનેટ પર વાઈરલ(viral) થયો છે.આ એપિસોડ કઈ તારીખે રજૂ થશે એ હજી જાહેર કરાયું નથી.તમને જણાવી દઈએ કે આ શોમાં સામંથા અક્ષય કુમારની(Akshay Kumar) સાથે જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : સુષ્મિતા સેન ના ભાઈ સાથે થયો દગો-પત્ની ચારુ અસોપા એ પતિ થી છુપાવી આટલી મોટી વાત-જાણો વિગત
તમને જણાવી દઈએ કે 'કોફી વિથ કરણ 7'ના આ પ્રોમોમાં (Koffee with Karan 7 promo)આ સીઝનમાં આવનારા મહેમાનોની એક ઝલક પણ બતાવવામાં આવી છે. આ વખતે કરણના શોમાં આલિયા, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, સામંથા રૂથ પ્રભુ, અનન્યા પાંડે, શાહિદ કપૂર, રણવીર સિંહ, અનિલ કપૂર અને વરુણ ધવન જોવા મળવાના છે.