Site icon

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો માટે સારા સમાચાર- આ મહિને શો માં વાપસી કરી શકે છે દયાબેન- જાણો અપડેટ અહીં 

News Continuous Bureau | Mumbai

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું(Tarak Mehta Ka ooltah Chashma) પ્રિય પાત્ર દયાબેન(Dayaben) છેલ્લા 3 વર્ષથી શોમાંથી ગાયબ છે. આ શોના ચાહકો હજુ પણ અભિનેત્રી દિશા વાકાણીની(Disha Vakani) વાપસીની રાહ જોઈ રહ્યા છે, જેણે પોતાના પહેલા બાળકના જન્મથી શોમાંથી બ્રેક લીધો હતો. તો હવે આ શોના ચાહકો માટે રાહતના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટૂંક સમયમાં જ દિશા વાકાણી દ્વારા આ શોમાં ફરીથી દયાબેનના પાત્રને જોવાની તક મળી શકે છે.

Join Our WhatsApp Community

અહેવાલો અનુસાર, નિર્માતાઓ શોના દયાબેનના પાત્ર દિશા વાકાણીને ફરી એકવાર પરત લાવવા માટે તેની સાથે વાતચીતમાં વ્યસ્ત છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, શો સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું છે કે તારક મહેતાની ટીમે દયાબેનના પાત્રને પરત લાવવા માટે દિશાનો સંપર્ક કર્યો છે. અને જો બધુ બરાબર હશે, તો દિશા વાકાણી નવેમ્બર મહિનામાં શોમાં પરત ફરે તેવી અપેક્ષા છે.હાલમાં, એવી કોઈ માહિતી સામે આવી નથી કે શોમાં વાપસીને લઈને દિશાનો શું નિર્ણય છે? પરંતુ સોર્સના જણાવ્યા અનુસાર, લેટેસ્ટ અપડેટ(Latest update) એ છે કે જો દિશા શોમાં પરત નહીં ફરે તો ટૂંક સમયમાં તેની જગ્યાએ કોઈ નવી અભિનેત્રીને લઈ શકાય છે. તમને જણાવી દઈએ કે શોના ફેન્સની સાથે મેકર્સ પણ લાંબા સમયથી શોમાં દિશાની વાપસીની રાહ જોઈ રહ્યા છે.

કરોડો રૂપિયા નો માલિક છે ઋષિ કૂપર નો લાડલો રણબીર કપૂર -એક ફિલ્મ માટે લે છે અધધ આટલી મોટી રકમ-જાણો અભિનેતા ની નેટ વર્થ વિશે 

શોમાં જૂના પાત્રોને બદલવાના સમાચાર ટીવી ચાહકોમાં(TV fans) પહેલેથી જ ચર્ચામાં છે. હાલમાં જ આ શોમાં શૈલેષ લોઢાની(Shailesh Lodha) જગ્યાએ સચિન શ્રોફને(Sachin Shroff) કાસ્ટ કરવામાં આવ્યો છે. સચિન આ શોમાં તારક મહેતાનું પાત્ર ભજવતો જોવા મળે છે. સચિનની વાપસી અંગે જૂના તારક મહેતાનું પાત્ર ભજવી રહેલા શૈલેષે તાજેતરમાં એક એવી પોસ્ટ કરી છે જે વાંચીને એવું લાગે છે કે તેણે તેના નિર્ણય પર શોના નિર્માતાઓની મજાક ઉડાવી છે.

 

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version