Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો માં થઇ આવી ભૂલ, નિર્માતા સહિત સમગ્ર ટીમે તાત્કાલિક માંગવી પડી માફી: જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) એક એવો શો છે જેની લોકપ્રિયતા સમય સાથે વધી રહી છે. SAB ટીવી પર પ્રસારિત થતા આ શોનો ચાહક વર્ગ પણ ઘણો સારો છે. દરેક ઉંમરના લોકો આ શો જોવાનું પસંદ કરે છે. પરંતુ હાલમાં  પ્રસારિત થયેલા એપિસોડમાં મેકર્સે ભૂલ કરી હતી, જેના કારણે તેમણે માફી (apologies) માંગવી પડી હતી. આ ભૂલ સ્વર કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar) સાથે સંબંધિત હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : શું જ્હાન્વી કપૂરનું નામ 'જુદાઈ'માં ઉર્મિલા માતોંડકરના પાત્ર પરથી રાખવામાં આવ્યું હતું? અભિનેત્રીએ કર્યો આ અંગે ખુલાસો

વાસ્તવમાં એવું બન્યું હતું કે શો માં બતાવવામાં આવ્યું હતું કે આખી ગોકુલધામ સોસાયટી (Gokuldham society) ક્લબમાં એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન બધા જૂના જમાનાના ગીતો વગાડીને તેમની ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન લતા મંગેશકરનું (Lata Mangeshkar) ગીત 'એ મેરે વતન કે લોગોં' પણ વગાડવામાં આવ્યું હતું. આ ગીત વિશે વાત કરતાં શ્રી ભિડેએ (Mr. Bhide) કહ્યું કે આ ગીત 1965માં રિલીઝ થયું હતું અને જ્યારે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ (PM Jawaharlal Nehru) લતા મંગેશકરને આ ગીત ગાતા સાંભળ્યા ત્યારે તેમની આંખો માં પાણી આવી ગયા હતા. 

શોમાં ઉલ્લેખિત ગીતની રિલીઝ ડેટ (release date)ખોટી હતી, તેથી શો ટ્રોલ (troll) થવા લાગ્યો હતો. આ પછી, શોના નિર્માતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ (social media account) પર એક પોસ્ટ શેર કરીને આ ભૂલ માટે માફી માંગી. તેણે લખ્યું કે અમે અમારા શુભેચ્છકો, ચાહકો અને દર્શકોની માફી માંગવા માંગીએ છીએ. આજના એપિસોડમાં, અમે 'એ મેરે વતન કે લોગોં'ની રિલીઝ ડેટ 1965 જણાવી છે. આ ગીત 26 જાન્યુઆરી 1963ના રોજ આવ્યું હતું. અમે અમારી ભૂલ સુધારીને કરીએ છીએ અને ભવિષ્યમાં એવું ન થાય તેની કાળજી રાખીશું. તમારો અસિત મોદી (Asit Modi) અને તારક મહેતાની આખી ટીમ (Tarak mehta team)..

 

Haq Review:આત્મસન્માન અને અધિકારની લડત, યામી અને ઇમરાનનો શાનદાર અભિનય, જાણો હક નો રીવ્યુ
Vicky Kaushal: વિક્કી કૌશલનો ત્યાગ, આ પાત્ર ભજવવા છોડશે નોન-વેજ અને દારૂ, જાણો તે ફિલ્મ વિશે
Salman Khan: પાન મસાલાની જાહેરાત કરવી સલમાન ખાન ને પડી ભારે, કોટા કન્ઝ્યુમર કોર્ટ એ મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચને અધધ આટલા કરોડ માં વેચ્યા બે લક્ઝરી એપાર્ટમેન્ટ, મળ્યું 47% રિટર્ન
Exit mobile version