News Continuous Bureau | Mumbai
Abhishek Bachchan Emotional: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના સંબંધો અત્યારે સ્થિર છે, પરંતુ ભૂતકાળની એક ઘટના ફરી ચર્ચામાં આવી છે. કરણ જોહરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જ્યારે તેણે ૨૦૦૬માં આવેલી ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ ની વાર્તા અભિષેકને સંભળાવી હતી, ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. આ ફિલ્મની વાર્તા બે પરિણીત યુગલો અને તેમના લગ્નેતર સંબંધો પર આધારિત હતી, જે અભિષેકને અંદરથી હચમચાવી ગઈ હતી.કરણ જોહરના મતે, અભિષેક એટલો ભાવુક થઈ ગયો હતો કે તેણે પોતાના આંસુ રોક્યા રોકાતા નહોતા.
આ સમાચાર પણ વાંચો : Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
કઈ ફિલ્મ હતી અને કોણ હતા સ્ટાર્સ?
કરણ જોહર નિર્દેશિત આ ફિલ્મ ૨૦૦૬માં રિલીઝ થઈ હતી. તેમાં શાહરૂખ ખાન, રાની મુખર્જી, પ્રીતિ ઝિન્ટા અને અભિષેક બચ્ચન લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં લગ્ન પછીના પ્રેમ અને સંબંધોના તૂટવાની અત્યંત ભાવુક સફર બતાવવામાં આવી હતી. અભિષેકે આ ફિલ્મમાં ઋષિ તલવારનું પાત્ર ભજવ્યું હતું, જેની પત્ની (રાની મુખર્જી) બીજા કોઈના પ્રેમમાં હોય છે. વાર્તાની આ કરુણતાએ અભિષેકને રડવા પર મજબૂર કરી દીધો હતો.
કરણ જોહરે જણાવ્યું કે જ્યારે તેણે ક્લાઈમેક્સ અને પાત્રોની મથામણ વિશે વાત કરી, ત્યારે અભિષેક ખૂબ જ સંવેદનશીલ થઈ ગયો હતો. ફિલ્મમાં બતાવવામાં આવેલી સંબંધોની જટિલતા અને દગો તેને માનસિક રીતે હિટ કરી ગયા હતા. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ઘણી ચર્ચામાં રહી હતી અને લોકોને અભિષેકનો અભિનય ખૂબ જ પસંદ આવ્યો હતો. ખાસ કરીને ઈમોશનલ સીન્સમાં તેની સાદગી અને દર્દ પ્રેક્ષકોના દિલ જીતી ગયા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
