Site icon News Continuous Bureau

નટુકાકાની અંતિમયાત્રામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ સાથે જોડાયા બાદ બબિતાજીએ કર્યું આ કામ, સૌ કોઈની આંખો છલકાઈ ગઈ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 
સોમવાર 
ટીવી ઇન્ડસ્ટ્રીની સાથે જ નાટ્ય અને ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા દિગ્ગજ અભિનેતા ઘનશ્યામ નાયક ઉર્ફ નટુકાકાના આજે સવારે કાંદિવલીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમયાત્રામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સંપૂર્ણ ટીમ જોડાઈ હતી. 77 વર્ષના ઘનશ્યામ નાયકના મૃત્યુથી  પૂરી ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. લાંબા સમયથી બીમાર રહેલા નટુકાકાને કૅન્સર થયું હતુ. તેમની સારવાર પણ ચાલી રહી હતી.  તેમના નિધન બાદ ટીવી સિલેબ્રિટીઝ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી સહિત સિરિયલ સાથે સંકળાયેલા કલાકારો તેમના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. કલાકારોએ તેમને ભારે દિલે શ્રદ્ધાંજલિ આપી હતી, તો સિરિયલની બબિતાજીનું પાત્ર ભજવનારી  મુનમુન દત્તાએ પણ નટુકાકા સાથેના પોતાના અનેક ફોટા સોશિયલ મિડિયા પર શૅર કર્યા હતા અને નટુકાકાની યાદોને તાજી કરી હતી.

શોકિંગ! આ જગવિખ્યાત ભૂતપૂર્વ ક્રિકેટર, તેની પત્ની અને સસરાનું નામ પણ બહાર આવ્યું પેન્ડોરા પેપરમાં, આટલા કરોડ રૂપિયાના શેયર્સ આ લોકોના નામે.જાણો વિગત.

Join Our WhatsApp Community
Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Yuzvendra Chahal in controversy: યુઝવેન્દ્ર ચહલ અને તાન્યા ચેટર્જી વચ્ચે શું છે કનેક્શન? અભિનેત્રીએ ચેટ જાહેર કરતા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચાઓ
Shreya Ghoshal Tribute to Asha Bhosle: શ્રેયા ઘોષાલના સુરે આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ: સ્ટેજ પર ગીત ગાતા-ગાતા શ્રેયાની આંખો છલકાઈ, વીડિયો વાયરલ
Exit mobile version