Site icon

Adah sharma: સુશાંત સિંહ રાજપૂત ના ફ્લેટ માં શિફ્ટ થઇ અદા શર્મા, જણાવ્યો દિવંગત ના ઘરમાં રહેવાનો અનુભવ

Adah sharma: છેલ્લા ઘણા સમયથી અદા શર્મા ના સુશાંત સિંહ રાજપૂત ના બાંદ્રા વાળા ઘરમાં શિફ્ટ થવાના સમાચાર સામે આવ્યા હતા. હવે આખરે અદા સુશાંત ના ઘર માં શિફ્ટ થઇ ગઈ છે અને તેને ત્યાં રહેવાનો અનુભવ પણ શેર કર્યો છે.

Adah sharma shifted to sushant singh rajput flat and share her experience

Adah sharma shifted to sushant singh rajput flat and share her experience

News Continuous Bureau | Mumbai

Adah sharma: ધ કેરળ સ્ટોરી થી લાઈમલાઈટમાં આવેલી અદા શર્મા વિશે છેલ્લા ઘણા સમયથી એવા સમાચાર સામે આવ્યા હતા કે તે સુશાંત સિંહ રાજપૂત ના બાંદ્રા વાળા ઘર માં શિફ્ટ થવાની છે. હવે આખરે અભિનેત્રી દિવંગત સુશાંત સિંહ રાજપૂત ના ઘરમાં શિફ્ટ થઇ ગઈ છે જેની જાણકારી અદા એ પોતે આપી છે આ ઉપરાંત તેને ત્યાં રહેવાના અનુભવ વિશે પણ જણાવ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anupama spoiler alert: અનુપમા માં આવશે મોટો ટ્વીસ્ટ, તોશુ એ નહીં આ વ્યક્તિ એ નાખ્યો હતો ખાવાના માં કોક્રોચ, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

 

અદા શર્મા સુશાંત સિંહ રાજપૂત ના ઘરમાં શિફ્ટ થઇ 

સુશાંત સિંહ રાજપૂત નો મૃતદેહ વર્ષ 2020 માં તેના બાંદ્રા વાળા એપાર્ટમેન્ટ માં મળી આવ્યો હતો. ત્યારથી આ એપાર્ટમન્ટ બંધ હતું. હવે ધ કેરળ સ્ટોરી થી લાઈમલાઈટ માં આવેલી અદા શર્મા આ ઘર માં શિફ્ટ થઇ છે. અદા એ એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ માં જણાવ્યું કે, ‘લીઝ એગ્રીમેન્ટ ઓક્ટોબર 2023માં સાઈન કરવામાં આવ્યો હતો. હું માત્ર ચાર મહિના પહેલા જ મારી માતા અને દાદી સાથે(મોન્ટ બ્લેન્ક એપાર્ટમેન્ટ, બાંદ્રા)માં શિફ્ટ થઇ હતી., પરંતુ હું બસ્તર અને ધ કેરળ સ્ટોરીની OTT રિલીઝ સહિતના મારા પ્રોજેક્ટના પ્રચારમાં વ્યસ્ત હતી. તાજેતરમાં મને થોડો સમય મળ્યો છે અને આખરે હું અહીં આવીને રહેવા લાગી છું.’


પોતાની વાત ને આગળ વધારતા અદા એ કહ્યું,  ‘કેટલાક લોકોએ મને બાંદ્રામાં આ જગ્યાએ શિફ્ટ થવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ આખરે હું આ ઘરમાં આવી. હું આખી જીંદગી પાલી હિલ (બાંદ્રા)માં એક જ ઘરમાં રહી છું અને આ પહેલીવાર છે જ્યારે હું ત્યાંથી બહાર ગઈ છું. હું વાઇબ્સ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છું, અને આ સ્થાન મને સકારાત્મક વાઇબ્સ આપે છે. કેરળ અને મુંબઈમાં અમારા ઘરો વૃક્ષોથી ઘેરાયેલા છે અને અમે પક્ષીઓ અને ખિસકોલીઓને ખવડાવતા હતા. તેથી, મને દૃશ્ય સાથે ઘર અને પક્ષીઓને ખવડાવવા માટે પૂરતી જગ્યા જોઈતી હતી. ઘરમાં પ્રવેશતાની સાથે જ મને ખૂબ જ સકારાત્મક વાઇબ્સનો અનુભવ થયો.મેં ક્યારેય કોઈનું સાંભળ્યું નથી. મારા આત્માએ મને જે કહ્યું તે મેં અનુસર્યું અને મને આ ઘરમાં શિફ્ટ થવા વિશે કોઈ શંકા નહોતી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version