News Continuous Bureau | Mumbai
Allu arjun children: અલ્લુ અર્જુન ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. તેવામાં ગઈકાલે કેટલાક વિરોધીઓએ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં એક મહિલાના મૃત્યુને કારણે અલ્લુ અર્જુન ના હૈદરાબાદ ના ઘર પર હુમલો અને તોડફોડ કરી હતી. જેને લઈને અભિનેતા ચિંતા માં આવી ગયો છે અને તેને તેના બાળકો ની સુરક્ષા ને લઈને એક મોટો નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો : Anupamaa: અનુપમા માં રાહી ની જગ્યા લેશે આ અભિનેત્રી, કુંડલી ભાગ્ય માં મળી હતી જોવા
અલ્લુ અર્જુને તેના બાળકો ની સુરક્ષા ને લઈને લીધો મોટો નિર્ણય
અલ્લુ અર્જુન ના ઘર પર જયારે હુમલો અને તોડફોડ થઇ ત્યારે અલ્લુ અર્જુન તેના આખા પરિવાર સાથે ઘરમાં જ હતો. જો કે પોલીસે આ મામલે તે વિરોધીઓ ની ધરપકડ કરી હતી. હવે આ હુમલા થી અલ્લુ અર્જુન ચિંતા માં આવી ગયો છે. આવી સ્થિતિમાં, અલ્લુ અર્જુને તેના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, તેમને તેના પિતા અલ્લુ અરવિંદના ઘરે શિફ્ટ કર્યા છે. સોશિયલ મીડિયા પર તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
Allu Arjun’s kids (Arha & Ayaan) whisked away from the house after attacks today! pic.twitter.com/iu5N5UFZ3Q
— idlebrain.com (@idlebraindotcom) December 22, 2024
અલ્લુ અર્જુને તેના ઘરે થયેલા હુમલા અંગે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ અભિનેતાના પિતાએ આ મુદ્દે લખ્યું છે કે ‘મને લાગે છે કે આ બાબતને યોગ્ય રીતે હેન્ડલ કરવી જરૂરી બની ગઈ છે. જો કે, હવે પગલાં લેવાનો સમય નથી. પોલીસે કેસ નોંધ્યો છે. મર્યાદા ઓળંગનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો આવી ઘટના ફરી બને તો પોલીસ ધરપકડ કરવામાં જરાય ડરશે નહીં. અમે આવી ઘટનાઓને પ્રોત્સાહન આપી શકતા નથી. હું આ ધમકી નથી આપી રહ્યો કારણ કે મીડિયા અહીં હાજર છે. હું જાણું છું કે કાયદો દરેક માટે સમાન છે.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)