News Continuous Bureau | Mumbai
Amitabh bachchan: બોલિવૂડ ના મહાનાયક અમિતાભ બચ્ચન ને આ વર્ષનો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 24 એપ્રિલ 2024 ના રોજ માસ્ટર દીનાનાથ મંગેશકર ની 82મી પુણ્યતિથિએ આપવામાં આવશે. આ સાથે જ બોલિવૂડ અભિનેતા રણદીપ હુડ્ડા ને પણ સ્પેશિયલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 200 લોકોનું સન્માન કરવામાં આવ્યું છે. આ વર્ષે અભિનેતા અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Nita Ambani: શું તમે નીતા અંબાણી નું સાડીનું કલેક્શન જોયું છે? અહીં જુઓ લાખો-કરોડો રૂપિયાની સાડીઓ… અને તેની વચ્ચે નીતા અંબાણી નું જાજરમાન વ્યક્તિત્વ
અમિતાભ બચ્ચન ને મળશે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ
આ વર્ષે, માસ્ટર દીનાનાથ મંગેશકરની 82મી પુણ્યતિથિ પર, આ સન્માન અમિતાભ બચ્ચનને સિનેમામાં તેમના યોગદાન માટે આપવામાં આવશે. અમિતાભ બચ્ચન ની સાથે રણદીપ હુડાને ફિલ્મ મેકિંગ એવોર્ડ, એઆર રહેમાનને સંગીત, પદ્મિની કોલ્હાપુરેને સિનેમા, ગાલિબ ડ્રામાને મોહન વાળા એવોર્ડ (નાટક નિર્માણ), દીપસ્તંભ ફાઉન્ડેશન મનોબલને આનંદમયી એવોર્ડ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ તમામ એવોર્ડ 24 એપ્રિલ 2024ના રોજ માસ્ટર દીનાનાથ મંગેશકરની 82મી પુણ્યતિથિ પર આપવામાં આવશે.