Ayodhya Ram mandir: અનુપમ ખેરે અયોધ્યા જતા લગાવ્યા ‘જયશ્રી રામ’ ના નારા, વિમાની સફર નો વિડીયો શેર કરી કહી આ વાત

Ayodhya Ram mandir: અત્યારે દેશના ખૂણે-ખૂણે રામ નામ ની ગુંજ સંભળાઈ રહી છે. અયોધ્યા માં રામજી ના સ્વાગત ની તૈયારી થઇ રહી છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર એ અયોધ્યા જતા જયશ્રી રામ ના નારા લગાવ્યા હતા.

by Zalak Parikh
anupam kher raised slogans of jai shri ram in the flight

News Continuous Bureau | Mumbai

Ayodhya Ram mandir: અત્યારે દેશના ખૂણે-ખૂણે રામ નામ ની ગુંજ સંભળાઈ રહી છે, વર્ષોની લાંબી રાહ બાદ હવે શ્રી રામ લલ્લા મંદિરમાં બિરાજવા જઈ રહ્યા છે, આજે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ અયોધ્યા પહોંચ્યા છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર એ ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ તેમની અયોધ્યા ની સફર વિમાન માંથી બતાવી રહ્યા છે. 

 

અનુપમ ખેર એ શેર કર્યો વિડીયો 

અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું, ‘હું તમામ રામ ભક્તો સાથે અયોધ્યા પહોંચ્યો છું. વિમાનમાં અદ્ભુત ભક્તિનું વાતાવરણ હતું.આપણે ધન્ય છીએ, આપણો દેશ ધન્ય છે, જય શ્રી રામ.’


આજે રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માં હાજરી આપવા ઘણા સ્ટાર્સ અયોધ્યા પહોંચ્યા છે તો ઘણા સ્ટાર્સ અયોધ્યા પહોંચી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Ramayan Hanuman: રામાનંદ સાગર ની રામાયણ માં હનુમાન નું પાત્ર ભજવવા દારા સિંહ ને પડી હતી આવી મુશ્કેલી, પ્રેમ સાગરે અભિનેતા વિશે કર્યો ચોંકવનારો ખુલાસો

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More