Site icon

અનુપમાના ચાહકો માટે ખરાબ સમાચાર, સિરિયલમાં આ ભૂમિકા ભજવનાર અભિનેત્રીનું થયું નિધન ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

પ્રખ્યાત ટીવી અભિનેત્રી માધવી ગોગટેનું રવિવારે અવસાન થયું છે. તેમની આકસ્મિક વિદાય ટીવી જગતના લોકો માટે ઘેરા આઘાત સમાન છે. માધવી ને ટીવી સિરિયલ 'અનુપમા'થી ખાસ ઓળખ મળી, આ ટીવી સિરિયલમાં તેણે રૂપા ગાંગુલીની માતાની ભૂમિકા ભજવી હતી. તેમની વિદાયને કારણે તેમના નજીકના મિત્રો તેમજ તેમના ચાહકોને ઘણું દુઃખ થયું છે. માધવી ટીવીની દુનિયાનો જાણીતો ચહેરો હતો.

અહેવાલો અનુસાર, અભિનેત્રી માધવી ગોગટે કોરોનાથી પીડિત હતી. થોડા દિવસો પહેલા તેમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એવા અહેવાલો પણ આવ્યા હતા કે માધવીને મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો હતો પરંતુ અચાનક તેની તબિયત બગડવા લાગી અને રવિવારે બપોરે તેનું મોત થઈ ગયું. માધવીના નિધનથી સમગ્ર ટીવી જગત શોકમાં છે.

ટીવી સિરિયલ 'અનુપમા'માં તેની કો-સ્ટાર રહેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ તેના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ શેર કરી હતી. એક પોસ્ટ શેર કરતા તેણે લખ્યું કે ઘણું બધું અકથિત રહી ગયું, સદગતિ માધવી જી. આ સાથે માધવીની ખાસ મિત્ર નીલુ કોહલીએ તેની તસવીર શેર કરી અને લખ્યું કે માધવી ગોગટે મારી પ્રિય મિત્ર, ના, હું વિશ્વાસ  નથી કરી શકતી કે તું અમને છોડી ને જતી રહી છે. હૃદયભંગ, આ તારી જવા ની ઉમર ન હતી. યે કોવિડ, હું ઈચ્છું છું કે જ્યારે તમે મારા મેસેજનો જવાબ ન આપ્યો ત્યારે મેં ફોન ઉપાડ્યો હોત અને તમારી સાથે વાત કરી હોત. હવે હું માત્ર અફસોસ કરી શકું છું.

સીરિયલ ‘અનુપમા’ ના આ એક્ટરને ડેટ કરી ચુકી છે ઉર્ફી જાવેદ, બ્રેકઅપનું કારણ આવ્યું સામે ; જાણો વિગત

માધવી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટિવ હતી. તેણે ટીવીની સાથે સાથે ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે. તે મરાઠી ફિલ્મોમાં વધુ સક્રિય હતી. તેણે અશોક સરાફ સાથે મરાઠી ફિલ્મ 'ઘનચક્કર'માં કામ કર્યું હતું. જે બાદ તેના કામને નવી ઓળખ મળી. તેમણે નાટકો પણ ભજવ્યા જેમાં 'ગેલા માધવ કુનિકડે' અને 'ભ્રમચા ભોપાલા' મુખ્ય હતા. માધવીએ ટીવી સિરિયલો 'કોઈ અપના સા', 'ઐસા કભી સોચા ના થા', 'કહીં તો હોગા'માં કામ કરીને પોતાની અભિનય યાત્રા આગળ વધારી.

KSBKBT 2 Twist: ‘ક્યોંકિ… ૨’ માં નવો વળાંક! મિતાલીની ચાલથી ઋત્વિક-મુન્ની વચ્ચે વધી દૂરી; શું તુલસી બચાવી શકશે આ તૂટતો સંબંધ?
Sara Arjun: કોણ છે ‘ધુરંધર ૨’ ની આ ટેલેન્ટેડ હીરોઈન? જેણે માત્ર ૧૮ મહિનાની ઉંમરે શરૂ કરી હતી એક્ટિંગ; હવે રણવીર સિંહ સાથે મોટા પડદે મચાવશે ધૂમ
Dhurandhar 2 Ban: પાકિસ્તાન સહિત વિદેશી ધરતી પર ‘ધુરંધર ૨’ ના પ્રદર્શન પર રોક; ફિલ્મની વાર્તા કે એક્શન? જાણો અસલી કારણ
Dhurandhar 2 New Song: રણવીર સિંહના નવા ગીત ‘મેં ઔર તૂ’ માં એક્શનનો ડોઝ, દુશ્મનો પર કાળ બનીને તૂટી પડ્યો એક્ટર
Exit mobile version