Site icon

શું હવે ‘અનુપમા’માં નહીં જોવા મળે રાખી દવે? તસનીમ શેખે જણાવી હકીકત

ટીવી શો અનુપમામાં કિંજલની માતા રાખી દવેનું પાત્ર ભજવતી અભિનેત્રી તસનીમ શેખ શો છોડી રહી હોવાના અહેવાલ હતા. અભિનેત્રીએ કહ્યું છે કે તેની શો માં હવે એટલી ભૂમિકા નથી રહી.

anupama rakhi dave aka tasnim shaikh tio quit rupali ganguly show for this reason

શું હવે ‘અનુપમા’માં નહીં જોવા મળે રાખી દવે? તસનીમ શેખે જણાવી હકીકત

News Continuous Bureau | Mumbai

ટીવી શો ‘અનુપમા’નું દરેક પાત્ર પોતાનામાં અનોખું છે અને દરેક અભિનેતાની પોતાની ફેન ફોલોઈંગ છે. શોમાં કેટલાક એવા પાત્રો છે જેઓ ક્યારેક લાંબા સમય સુધી જોવા મળતા નથી પરંતુ ચાહકો તેમના સિક્વન્સની રાહ જુએ છે. આવું જ એક પાત્ર છે રાખી દવેનું. તસનીમ શેખે ભજવેલું પાત્ર ખૂબ જ અનોખું છે અને તેની પોતાની ફેન ફોલોઈંગ છે.ટીવી સિરિયલ અનુપમામાં કિંજલની માતા રાખી દવેનું પાત્ર ભજવનાર અભિનેત્રી તસનીમ શેખે તાજેતરમાં કહ્યું હતું કે તે અન્ય પ્રોજેક્ટ્સ કરવા માટે પણ તૈયાર છે. કારણ કે રાખી દવે લાંબા સમયથી શોમાં જોવા મળી ન હતી, તેથી માનવામાં આવી રહ્યું હતું કે તે શો છોડવા જઈ રહી છે. પરંતુ આ દરમિયાન તસનીમે સ્પષ્ટ કર્યું કે નવા પ્રોજેક્ટ કરવાનો અર્થ એ નથી કે તે ટીવી શો ‘અનુપમા’ છોડી રહી છે.

Join Our WhatsApp Community

 

તસનીમ શેખે કરી મીડિયા સાથે વાતચીત 

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા તસનીમે કહ્યું, “શરૂઆતમાં મારું પાત્ર ખૂબ જ મજબૂત હતું અને હું એક નકારાત્મક પાત્ર ભજવતી હતી. એક પાત્ર જે હંમેશા મુશ્કેલી ઉભી કરે છે અને અનુપમાને ટોણો મારતી રહે છે. મને ખુશી છે કે પ્રોડક્શન હાઉસે મને આ ભૂમિકા માટે પસંદ કરી છે.. હું એ પણ સમજું છું કે દરરોજ તમારો ટ્રેક ફોકસમાં ન હોઈ શકે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં, મારે આ શોમાં કરવાનું કંઈ નથી.”

 

શું ‘રાખી દવે’ અન્ય શોમાં પણ જોવા મળશે?

બીજા શો કરવા ને લઇ ને તસનીમે કહ્યું કે દેખીતી રીતે હું આ શો સાથે કામ કરવાનું ચાલુ રાખીશ પરંતુ હું અન્ય કેટલાક પ્રોજેક્ટ પણ હાથ ધરીશ કારણ કે મારી પાસે ઘણો સમય શેષ રહે છે. રાખી દવેએ કહ્યું કે ટીવી શો અનુપમા ની ટીમને પણ તેના આવું કરવામાં કોઈ વાંધો નથી. તસનીમે કહ્યું કે તે વિચારે છે કે તે બાકી ની વસ્તુઓ  પણ સંભાળી શકે છે, તો તે કેમ ન કરે.

 

Dhurandhar 2 CBFC Cuts: ‘ધુરંધર ૨’ માં સેન્સર બોર્ડની કાતર ફરી: આટલા કટ અને ‘A’ સર્ટિફિકેટ સાથે મળી મંજૂરી, જાણો કયા સીન્સ હટાવવામાં આવ્યા
Sara Ali Khan Kedarnath: શું સારા અલી ખાન હવે કેદારનાથમાં દર્શન નહીં કરી શકે? મંદિર પ્રશાસને મૂકી આકરી શરત.
Dhurandhar 2: ‘મરાઠા મંદિરમાં ‘ધુરંધર ૨’ નો ક્રેઝ: રણવીર સિંહ માટે DDLJ નો સમય બદલાયો, ૨૯ વર્ષમાં પહેલીવાર સર્જાયો આ સંયોગ
Gaurav Kapur Kritika Kamra Wedding Video: ગૌરવ કપૂર અને કૃતિકા કામરાના લગ્નનો વીડિયો વાયરલ: લાલ જોડામાં સજ્જ દુલ્હનની એન્ટ્રી જોઈ ગૌરવની આંખો છલકાઈ, જુઓ ભાવુક ક્ષણો
Exit mobile version