Site icon

અનુપમા ના જન્મદિવસ પર આવી રહ્યો છે મોટો ટ્વિસ્ટ, બદલાઈ જશે ઘણી જિંદગી; જાણો અનુપમા ના આવનાર એપિસોડ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022     

Join Our WhatsApp Community

બુધવાર

આ દિવસોમાં અનુજની મહેનત અને વનરાજનો ગુસ્સો ટીવી સીરિયલ અનુપમામાં બતાવવામાં આવી રહ્યો છે. આ સાથે પાખી અને નંદિની-સમર પર પણ ફોકસ રાખવામાં આવ્યું છે. વનરાજને પાખીના અફેરની સત્યની ખબર પડે છે . તે પહેલા બા ને સમજાવે છે કે આજના સમયમાં કોઈ બોય ફ્રેન્ડ હોઈ શકે છે. પછી વનરાજ પાખીને કહે છે કે આનો અર્થ એ નથી કે વડીલો સાથે દુર્વ્યવહાર થવો જોઈએ. પાખી પછી બાની માફી માંગે છે.આ સમયે અનુપમા ત્યાં આવે છે. વનરાજ ત્યારપછી અનુપમાને ટોણો મારે છે. માની પાંખો નીકળી ગઈ હોય તો દીકરી પણ એવી જ હશે ને? પછી અનુપમા એમ કહીને વનરાજનું મોં બંધ કરી દેશે કે જ્યારે બાળક મેડલ લાવે છે ત્યારે પિતા સારો  બને છે અને જ્યારે તે કંઇક ખોટું કરે છે ત્યારે માતા દોષિત બને છે. તમે તમારા બાળકોને કેટલો સમય આપ્યો છે? આજના એપિસોડમાં બંને વચ્ચે  તુતુ મેં મેં  જોવા મળશે.

આ સિવાય અનુજ સમર પાસે આવે છે. તે કહે છે કે હવે તેણે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આવનારા સમયમાં મોટા સમાચાર આવવાના છે. ત્યારે સમર કહે છે કે ક્યા સારા સમાચાર છે માતાનો જન્મદિવસ આવી રહ્યો છે. તે દિવસે હું ખૂબ જ જોરદાર ડાન્સ કરીશ. પછી અનુજ કહે છે કે તેણે તે કરવું જ પડશે, કારણ કે કંઈક મોટું થવાનું છે.તે જ સમયે, આજ રાતના એપિસોડમાં, સમર અને નંદિની પરિવારના સભ્યોને તેમના બ્રેકઅપના સમાચાર આપવાના છે. આ સાંભળીને દરેકને આશ્ચર્ય થશે. કાવ્યા નંદનીને કહેશે કે તું સમરને પ્રેમ કરે છે તો બ્રેકઅપ કેમ. ત્યારે અનુપમા કહે છે કે બંનેને લાગે છે કે તેમના સંબંધો કામ નહીં કરે. અનુપમા પરિવારના સભ્યોને પણ સમજાવે છે કે બંનેનું સુખ આમાં જ છે.

ડેટિંગ એપ દ્વારા નહીં પરંતુ કંઈક આ રીતે થઇ હતી રિતિક રોશનના જીવનમાં સબા આઝાદની એન્ટ્રી ; જાણો વિગત

આ સાથે નંદિની એ પણ જણાવશે કે તેને યુએસમાં નોકરી મળી ગઈ છે. પોતાની વાત સામે રાખીને કાવ્યા ફરી એકવાર નંદિની સાથે તેના અને સમરના સંબંધોને વધુ એક તક આપવા માટે વાત કરશે પણ તે કોઈનું સાંભળશે નહીં. તે સમરને છોડીને જતી રહેશે.અહીં, અનુજ અનુપમા સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. તે અનુપમા ના  જન્મદિવસ પર આ સમાચાર આપવા જઈ રહ્યો છે. તે જ સમયે, વનરાજ તેના પુત્ર સાથે અનુપમા અને અનુજનું જીવન બગાડવાનું ષડયંત્ર રચતા જોવા મળશે.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version