News Continuous Bureau | Mumbai
Anupama upcoming twist: અનુપમા એ સ્ટારપ્લસ ની નંબર વન સિરિયલ છે.આ સિરિયલ ટીઆરપી લિસ્ટ માં પણ નંબર વન પર રહે છે. હાલ અનુપમા માં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા સિરિયલ માં વનરાજ શાહ અને કાવ્યા ની ભૂમિકા માં જોવા મળતા કલાકારો સુધાંશુ પાંડે અને મદલસા શર્મા એ શો ને અલવિદા કહી દીધું છે. તેવામાં શો ને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે અનુપમા માં વધુ 10 થી 15 વર્ષ નો લિપ આવશે અને શો ની આખી વાર્તા બદલાઈ જશે.
આ સમાચાર પણ વાંચો : Pathan 2 update: પઠાણ 2 ને લઈને આવ્યું મોટું અપડેટ, શાહરુખ ખાન ની ફિલ્મ નું થયું આટલું કામ પૂરું, જાણો વિગત
અનુપમા માં આવશે 10 થી 15 વર્ષ નો લિપ ?
મીડિયા રિપોર્ટ મુજબ અનુપમાના મેકર્સ હવે શોમાં 10 થી 15 વર્ષનો લિપ લાવવાની યોજના બનાવી રહ્યા છે, જે શોની વાર્તાને સંપૂર્ણપણે બદલી નાખશે. શોમાં 15 વર્ષના લીપ બાદ તમામ કલાકારો દૂર થઈ જશે. માત્ર અનુપમા અને અનુજ જ જોવા મળશે. રિપોર્ટ માં તો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નિર્માતાઓ ફરી એકવાર તેમની સાથે નવા કલાકારોને લાવવાની યોજના બનાવી રહ્યા છે.
View this post on Instagram
અનુપમા માં હાલ આશા ભવન ના લોકો અને શાહ હાઉસ ના લોકો વચ્ચે તકરાર જોવા મળી રહી છે. જેઓ એક જ ઘર આશા ભવન માં રહી રહ્યા છે. 
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
 
			         
			         
                                                        