Site icon

સિરિયલ અનુપમા માં આવશે મોટો ટ્વિસ્ટ-કિંજલ આપશે અમુક શરતો સાથે પરિતોષને છૂટાછેડા-શોમાં થશે  નવા પાત્રની એન્ટ્રી

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં ‘અનુપમા’નો(Anupama) જબરદસ્ત ટ્રેક ચાલી રહ્યો છે. આ શો હંમેશાની જેમ TRP લિસ્ટમાં(TRP list) ટોપ પર રહે છે. પરિતોષ અને કિંજલનો ટ્રેક દર્શકોને પસંદ આવી રહ્યો છે. તે જ સમયે, અનુજ અને અનુપમાના લગ્નજીવનના ઉતાર-ચઢાવ પણ દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. કિંજલ, બા અને વનરાજની ઘણી સમજાવટ પછી, શાહ પરિવાર માં પાછી ફરે છે. પરિવારના સભ્યોની(family members) ખુશી માટે તોશુ અને કિંજલ એક જ છત નીચે સાથે રહે છે. પણ કિંજલ તોશુને હજી માફ કરી શકી નથી. શાહ પરિવારમાં આ વખતે નવરાત્રી (Navratri) ખૂબ જ ધમાકેદાર રહેવાની છે. આપણે બધા જાણીએ છીએ કે તોશુ અનુપમા સાથે બદલો લેવા માંગે છે. એટલું જ નહીં તે અનુપમા અને અનુજને ચેતવણી પણ આપે છે. મેકર્સે શોનો આ પ્રોમો બહાર પાડ્યો છે.

Join Our WhatsApp Community

શાહ પરિવાર કિંજલ અને તેની પુત્રી સાથે નવરાત્રી ઉજવવાનું(Celebrating Navratri) આયોજન કરી રહ્યો છે. ત્યારે કિંજલની માતા રાખી તેની પૌત્રી અને પુત્રીને તેના ઘરે પરત લઈ જવાનો આગ્રહ રાખે છે. તે તોશુને ઘણી ખરી-ખોટી સંભળાવે છે. એટલું જ નહીં, તોશુની સાથે તે બાને ઘણું બધું સંભળાવે છે.વાસ્તવમાં રાખીના મિત્રનો દીકરો અમેરિકાથી પાછો આવી રહ્યો છે. રાખી ઇચ્છે છે કે કિંજલ તેના જીવનમાં આગળ વધે અને નવી શરૂઆત કરે. રાખી ઇચ્છે છે કે કિંજલ તેના મિત્રના પુત્ર સાથે ફરીથી લગ્ન કરે જેથી તેને સારો જીવનસાથી મળી શકે. શું કિંજલ સાથે અનુપમાની વાર્તાનું પુનરાવર્તન થશે?

આ સમાચાર પણ વાંચો :   માત્ર ગ્લેમર ના મામલે નહુ પરંતુ સંપત્તિ ના મામલે બોલિવૂડ અભિનેત્રી ઓ ને ટક્કર આપે છે ટીવી ની આ  સુંદરીઓ -વાંચો યાદી અહીં 

શોના આગામી ટ્રેકમાં કિંજલ શાહ પરિવારમાં રહેવા લાગી છે. પરંતુ તે તોશુને માફ કરી શકી નથી. તે જ સમયે, પરિતોષ કિંજલ સાથે નવી શરૂઆત કરવા માંગે છે. પરંતુ કિંજલ ઈચ્છે છે કે તોશુ પાઠ શીખે. તે નથી ઈચ્છતી કે તેની અને અનુપમા સાથે જે થયું તે બીજી કોઈ સ્ત્રી સાથે ફરીથી થાય. તેથી તે તોશુને છૂટાછેડા(Divorce) આપવાનું નક્કી કરે છે.પરંતુ તે માત્ર છૂટાછેડા જ નહિ તેને પાઠ ભણાવવાનો પણ નક્કી કરે છે.હવે કિંજલ તેના પતિ ને કેવી રીતે સબક શીખવાડશે તે તો આવનાર એપિસોડ માં જ ખબર પડશે. 

 

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version