Site icon

Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.

Arjun Rampal :તાજ હોટલ જવાની તૈયારીમાં હતા અને મુંબઈ ધ્રૂજી ઉઠ્યું; મેજર ઈકબાલનું નકારાત્મક પાત્ર ભજવીને વર્ષોનો ગુસ્સો બહાર કાઢ્યો, ‘ધુરંધર 2’ ની સફળતા વચ્ચે અભિનેતાની ભાવુક પોસ્ટ

Arjun Rampal’s Personal Revenge: From Witnessing 26/11 Horror on His Birthday to Playing ISI Mastermind in 'Dhurandhar' Franchise

Arjun Rampal’s Personal Revenge: From Witnessing 26/11 Horror on His Birthday to Playing ISI Mastermind in 'Dhurandhar' Franchise

News Continuous Bureau | Mumbai

Arjun Rampal :આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવિંજ’ અત્યારે બોક્સ ઓફિસ પર સુનામી લાવી રહી છે. આ સફળતાની વચ્ચે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર અર્જુન રામપાલે ૨૬/૧૧ ના આતંકી હુમલા સાથે જોડાયેલી પોતાની અંગત અને હૃદયદ્રાવક યાદો શેર કરી છે. અર્જુન માટે આ ફિલ્મ માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ તે ભયાનક રાતનો બદલો લેવાની એક તક હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shakira India Tour Cancelled: શકીરાના ચાહકોને મોટો ઝટકો! ભારત પ્રવાસ રદ; ઈરાન-ઈઝરાયેલ યુદ્ધે ફેરવ્યું પાણી, જાણો હવે ટિકિટના પૈસાનું શું થશે?

જન્મદિવસની એ રાતે તાજ હોટલ જવાનું હતું  

અર્જુન રામપાલે ખુલાસો કર્યો કે ૨૦૦૮માં જ્યારે મુંબઈ પર હુમલો થયો, ત્યારે તે પોતાના મિત્રો સાથે જન્મદિવસ મનાવવા માટે તાજ હોટલ જવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે જણાવ્યું, “હું મારા મિત્રોને લેવા માટે માહિમ પાસે એક હોટલ પહોંચ્યો જ હતો કે જોરદાર ધડાકો થયો. અમને લાગ્યું કે કોઈ ગેંગવોર છે, પણ થોડી જ વારમાં આખું મુંબઈ છાવણીમાં ફેરવાઈ ગયું. મેં મારા જન્મદિવસની આખી રાત ટીવી પર તે દ્રશ્યો જોયા જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. બીજે દિવસે સવારે ઘરે પરત ફરતી વખતે હું એટલો આઘાતમાં હતો કે મારે રસ્તામાં અનેકવાર ઉભા રહેવું પડ્યું હતું.”


‘ધુરંધર’ ના પહેલા ભાગમાં અર્જુન રામપાલે ISI મેજર ઈકબાલની ભૂમિકા ભજવી હતી, જે ૨૬/૧૧ ના હુમલાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ હતો. અર્જુને કહ્યું, “જ્યારે આદિત્ય ધરે મને આ સીક્વન્સ સંભળાવી, ત્યારે મને લાગ્યું કે આ મારો બદલો લેવાની તક છે. તે નકારાત્મક પાત્ર ભજવીને મેં તે નફરત અને ગુસ્સો બહાર કાઢ્યો જે મારા મનમાં વર્ષોથી દબાયેલો હતો.” ફિલ્મના બીજા ભાગમાં રણવીર સિંહનું પાત્ર ‘હમઝા’ આ મેજર ઈકબાલને મોતને ઘાટ ઉતારીને બદલો પૂરો કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2: ‘ધુરંધર 2’ મુશ્કેલીમાં! તમિલનાડુમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ; મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ થતા ખળભળાટ
Rajinikanth Dhurandhar 2 Review: રજનીકાંતે ‘ધુરંધર 2’ જોઈને શું કહ્યું? આદિત્ય ધરને આપ્યું નવું બિરુદ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ.
Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Rakesh Bedi : ‘ધુરંધર 2’ ના જમીલ જમાલીનો રેમ્પ પર જલવો: રાકેશ બેદીએ પાઉટ બનાવીને જીત્યા ફેન્સના દિલ, વીડિયો વાયરલ
Exit mobile version