Asha Bhosle Last Rites: આશા તાઈના અંતિમ દર્શન માટે ઉમટી મેદની: સચિન તેંડુલકર અને રિતેશ દેશમુખે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી, મુંબઈમાં ગમગીનીનો માહોલ

Asha Bhosle Last Rites:મુંબઈ પોલીસ દ્વારા ગાયિકાને ગાર્ડ ઓફ ઓનર; અંતિમ દર્શન માટે કલાકારો અને રાજકીય નેતાઓની ભીડ ઉમટી, સાંજે 4 વાગ્યે શિવાજી પાર્કમાં થશે અંતિમ સંસ્કાર.

by Janvi Soni
Asha Bhosle Last Rites: Mortal remains reach residence for final darshan; Sachin Tendulkar, Riteish Deshmukh arrive to pay tribute.

News Continuous Bureau | Mumbai

Asha Bhosle Last Rites:- ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. રવિવારે ૯૨ વર્ષની વયે નિધન પામેલા આશા તાઈના પાર્થિવ દેહને આજે ૧૩ એપ્રિલના રોજ સવારે ૧૧ વાગ્યે મુંબઈના લોઅર પરેલ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની ટુકડી દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર અને માનવંદના આપવામાં આવી હતી. સંગીતપ્રેમીઓ અને સિનેમા જગતના કલાકારો પોતાની લાડલી ‘આશા તાઈ’ ને વિદાય આપવા ભારે હૈયે ઉમટી પડ્યા છે.હોસ્પિટલથી પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ વાતાવરણ ગમગીન બની ગયું હતું. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લોઅર પરેલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 સચિન તેંડુલકર અને સુપ્રિયા સુળે પહોંચ્યા

આશા ભોંસલેના અંતિમ દર્શન માટે અનેક દિગ્ગજ હસ્તીઓ પહોંચી રહી છે:
સચિન તેંડુલકર: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વહેલી સવારે જ નિવાસસ્થાને પહોંચીને આશા તાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
રાજકીય નેતાઓ: એનસીપી નેતા સુપ્રિયા સુળે અને ભાજપના નેતા આશિષ શેલાર પણ અંતિમ દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા.
કલાકારો: અભિનેતા રિતેશ દેશમુખ, ગાયક સુદેશ ભોંસલે અને મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારી વિશ્વાસ નાંગરે પાટીલે પણ ગાયિકાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ: ઈરાન-અમેરિકા તણાવની સીધી અસર, જાણો મુંબઈ-અમદાવાદ સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ

શિવાજી પાર્ક ખાતે રાજ્ય સન્માન સાથે અંતિમ વિધિ

મહારાષ્ટ્ર સરકારના આદેશ મુજબ, આશા ભોંસલેના અંતિમ સંસ્કાર પૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. બપોરે ૩ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન ‘કાસા ગ્રાન્ડે’ ખાતે દર્શન કરી શકાશે.સાંજે ૪ વાગ્યાની આસપાસ દાદરના ઐતિહાસિક શિવાજી પાર્કમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. નોંધનીય છે કે આ એ જ સ્થળ છે જ્યાં લતા મંગેશકરના પણ અંતિમ સંસ્કાર થયા હતા.

 

સંગીત જગતનો એક યુગ આથમી ગયો

આશા ભોંસલેના નિધનથી માત્ર સંગીત જ નહીં, પરંતુ એક આખી સંસ્કૃતિનો અંત આવ્યો હોય તેવો અનુભવ ચાહકો કરી રહ્યા છે. શનિવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થયા બાદ રવિવારે મલ્ટી-ઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું અવસાન થયું હતું. તેમના ૮૦ વર્ષ લાંબી કારકિર્દીના હજારો ગીતો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More