Site icon

આમિર ખાન તેની ફટાકડાની જાહેરાત માટે થયો ટ્રૉલ, ભાજપના આ સાંસદે સાધ્યું નિશાન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

બૉલિવુડ અભિનેતા આમિર ખાનની એક જાહેરાત આજકાલ સમાચારોમાં છે. આમિર ખાન ટાયર કંપની CEAT લિમિટેડની જાહેરાતમાં લોકોને સલાહ આપી રહ્યો છે કે દિવાળી પર શેરીઓમાં ફટાકડા ન ફોડે, પરંતુ ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેએ આમિર ખાનની આ જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો છે. અનંતકુમાર હેગડેએ CEAT ટાયર્સના MD અને CEO અનંત વર્ધન ગોએન્કાને પત્ર લખીને નમાજ દરમિયાન રસ્તાઓ પર જામના કારણે લોકોને પડતી અસુવિધા અંગે જાહેરાત જાહેર કરવાની વિનંતી કરી છે. એટલું જ નહીં, અનંતકુમારે તેમના પત્રમાં એમ પણ કહ્યું છે કે તેમની આ જાહેરાતના કારણે હિન્દુઓમાં ગુસ્સો પેદા થઈ રહ્યો છે.

અનંતકુમાર હેગડેએ પોતાના પત્રમાં લખ્યું, 'તમારી કંપનીની તાજેતરની જાહેરાત, જેમાં આમિર ખાન લોકોને શેરીઓમાં ફટાકડા ન ફોડવાની સલાહ આપી રહ્યા છે. તેઓ ખૂબ જ સારો સંદેશ આપી રહ્યા છે. જનતાએ સામાન્ય મુદ્દાઓ માટે તમારી ચિંતાને બિરદાવવી જોઈએ, પરંતુ હું શેરીઓમાં લોકોની અન્ય સમસ્યા હલ કરવાની પણ માગ કરું છું. મુસ્લિમોને શુક્રવાર અને અન્ય મહત્ત્વના તહેવારના દિવસોમાં નમાજના નામે રસ્તાઓ બંધ ન કરવા માટે કહો. ઘણાં ભારતીય શહેરોમાં આ એક ખૂબ જ સામાન્ય દૃશ્ય છે, જ્યાં મુસ્લિમો વ્યસ્ત રસ્તાઓ અવરોધિત કરે છે અને નમાજ પઢે છે અને એ સમયે વાહનો, ઍમ્બ્યુલન્સ અને અગ્નિશામકો ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે, જેના કારણે ગંભીર નુકસાન થાય છે.

આ સાથે અનંતકુમાર હેગડેએ કંપનીનું ધ્યાન ધ્વનિપ્રદૂષણ તરફ લાવવાનો પ્રયાસ કર્યો. તેમણે વધુમાં કહ્યું કે, તેમણે કંપનીની જાહેરાતોમાં અવાજપ્રદૂષણનો મુદ્દો પણ ઉઠાવવો જોઈએ, કારણ કે આપણા દેશમાં દરરોજ જ્યારે આઝાન હોય છે ત્યારે મસ્જિદોની ઉપર લાઉડસ્પીકર્સમાંથી મોટા અવાજો આવે છે. શુક્રવારે તે થોડા સમય માટે વધારી દેવામાં આવે છે, જેના કારણે નજીકમાં રહેતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, કામ કરતા લોકો અને વર્ગખંડોમાં અભ્યાસ કરતાં બાળકોને પણ અસુવિધાનો સામનો કરવો પડે છે. પીડિતોની સૂચિ ઘણી લાંબી છે, પરંતુ અહીં માત્ર થોડાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સલમાન ખાનથી લઈને યુવરાજ સિંહ સુધી, આ સ્ટાર્સ ‘જાતિવાદ’ શબ્દનો ઉપયોગ કરીને ખરાબ રીતે ફસાયા છે, જાણો તે સ્ટાર્સ વિશે

તેમણે આગળ લખ્યું કે, 'તમે સામાન્ય જનતાને પડતી સમસ્યાઓ પ્રત્યે ખૂબ જ આતુર અને સંવેદનશીલ છો અને તમે હિન્દુ સમુદાયમાંથી પણ છો. મને ખાતરી છે કે તમે સદીઓથી હિન્દુઓ માટે જે ભેદભાવ ભોગવી રહ્યા છો તે તમે અનુભવી શકો છો આજકાલ, 'હિન્દુવિરોધી અભિનેતાઓ'નું એક જૂથ હંમેશાં હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડે છે, જ્યારે તેઓ ક્યારેય તેમના સમુદાયની ખોટી બાબતોને છતી કરવાનો પ્રયાસ કરતા નથી.' છેલ્લે અનંતકુમાર હેગડેએ લખ્યું કે, તેથી, હું તમને વિનંતી કરું છું કે આ ખાસ ઘટનાને ધ્યાનમાં લો, જ્યાં તમારી કંપનીની જાહેરાતથી હિન્દુઓમાં અશાંતિ ઊભી થઈ છે. અનંતકુમાર હેગડેને આશા છે કે ભવિષ્યમાં ગોએન્કાની કંપની હિન્દુઓની ભાવનાઓનું સન્માન કરશે અને તેને કોઈ પણ રીતે નુકસાન નહીં પહોંચાડે.

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version