Vicky kaushal Chhaava: છત્રપતિ સંભાજી મહારાજ બનવું વિકી કૌશલ માટે નહોતું સરળ, અભિનેતા એ તેના પાત્ર માં ઢળવા માટે કરી હતી આવી મહેનત

Vicky kaushal Chhaava: છાવા થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે લોકો છત્રપતિ સંભાજી મહારાજ ના પાત્ર માં વિકી કૌશલ ને પસંદ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છે સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવવા માટે વિકી એ કડી મહેનત કરી હતી.

by Zalak Parikh
chhaava is toughest film of vicky kaushal career

News Continuous Bureau | Mumbai

Vicky kaushal Chhaava: વિકી કૌશલ તેની ફિલ્મ છાવા ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. છાવા થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે લોકો છત્રપતિ સંભાજી મહારાજ ના પાત્ર માં વિકી કૌશલ ને પસંદ કરી રહ્યા છે. છાવા માં વિકી  સંભાજી મહારાજ નું પાત્ર ભજવ્યું છે જયારે કે રશ્મિકા એ તેમની પત્ની યેસુબાઈ નું પાત્ર ભજવ્યું છે. પરંતુ શું તમે જાણો છે સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવવા માટે વિકી એ કડી મહેનત કરી હતી. 

આ સમાચાર પણ વાંચો: Vicky kaushal Chhaava: છાવા જોઈ ઈમોશનલ થયો નાનો બાળક, વિકી કૌશલે વિડીયો શેર કરી તેના માટે લખી આવી વાત

છાવા માટે વિકી એ કરી હતી મહેનત 

વિકી કૌશલ તાજેતર માં એક પોડકાસ્ટ માં પહોંચ્યો હતો જ્યાં તેને છાવા માં તેના પાત્ર સંભાજી મહારાજ વિશે પૂછવામાં આવ્યું હતું જેના જવાબ માં વિકી એ જણાવ્યું કે  “સિનેમા એ દિગ્દર્શકનું માધ્યમ છે અને અભિનેતા પણ દિગ્દર્શકનું માધ્યમ છે જેના દ્વારા તે આખી વાર્તા કહે છે. અમારે દિગ્દર્શકના વિઝનને સારી રીતે અમલમાં મૂકવું પડશે. તેથી, મારી ભૂમિકા ભજવવા માટે, હું દિગ્દર્શક સાથે બેસીને વાર્તા સાંભળતો અને પાત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો. હું તેની સાથે મિત્ર જેવો સંબંધ જાળવી રાખતો હતો. મેં આ ફિલ્મ માટે 7 મહિના પહેલાથી તૈયારી શરૂ કરી દીધી હતી. મારે દાઢી અને વાળ વધારવા પડ્યા, 25 કિલો વજન વધારવું પડ્યું અને ઘોડેસવારી શીખવી પડી. દિગ્દર્શકે કહ્યું હતું કે તેઓ આ ફિલ્મ માટે કોઈ સમાધાન કરવા માંગતા નથી. તેથી મારું પહેલું લક્ષ્ય શારીરિક રીતે તૈયાર થવાનું હતું, જેના માટે મેં તૈયારી શરૂ કરી દીધી.”

 

View this post on Instagram

 

A post shared by Podcast Stories (@poddcast.stories)


 

વિકી કૌશલે પોતાની વાત ને આગળ વધારતા જણાવ્યું કે, “કોઈ ભૂમિકા માટે શારીરિક રીતે તૈયારી કરવી ખૂબ જ મુશ્કેલ છે અને તેમાંથી સૌથી મુશ્કેલ એ છે કે ખાવાથી તમારું વજન વધારવું. આ માટે, હું દરરોજ 6000 કેલરી લેતો હતો, જે સ્વસ્થ ખોરાક હતો. મતલબ કે, હું દિવસમાં લગભગ સાત વખત સારો અને સ્વસ્થ ખોરાક ખાતો હતો. આ માટે, હું સવારે 4.30 વાગ્યે ઉઠતો અને 5.30 વાગ્યે ખાવાનું શરૂ કરતો અને પછી સવારે 9 વાગ્યે ફરીથી સૂઈ જતો. આ પછી હું જીમમાં જતો. આ બધા પછી, હું ફિલ્મ સાથે જોડાયેલી ઐતિહાસિક વાર્તા વાંચતો અને પૃષ્ઠભૂમિ સમજવાનો પ્રયાસ કરતો. આ સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More