Site icon News Continuous Bureau | Mumbai

Dheeraj Kumar Passes Away : એક યુગનો અંત! બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ ધીરજ કુમારનું નિધન; આ બીમારી સામે હારી ગયા જિંદગી..

Dheeraj Kumar Passes Away : અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક ધીરજ કુમાર 79 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

Dheeraj Kumar Passes Away Veteran actor-producer Dheeraj Kumar dies of pneumonia at 79 in Mumbai

Dheeraj Kumar Passes Away Veteran actor-producer Dheeraj Kumar dies of pneumonia at 79 in Mumbai

News Continuous Bureau | Mumbai

 Dheeraj Kumar Passes Away :બોલિવૂડ અને ટીવી જગતના જાણીતા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક ધીરજ કુમારનું 79 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી એક્યુટ ન્યુમોનિયા સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની કારકિર્દીએ તેમને હિન્દી અને પંજાબી સિનેમામાં તેમજ ટેલિવિઝન નિર્માણમાં એક અનોખી ઓળખ અપાવી હતી.

Join Our WhatsApp Channel

Dheeraj Kumar Passes Away :ધીરજ કુમાર: ફિલ્મો અને ટીવીના પડદા પર અમીટ છાપ છોડનાર કલાકાર

બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક ધીરજ કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. સોમવારે (14 જુલાઈ, 2025) તેમની તબિયત અચાનક વધુ બગડી હતી, જેના પછી તેમને મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 79 વર્ષના ધીરજ કુમાર છેલ્લા કેટલાક દિવસોથી એક્યુટ ન્યુમોનિયા સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાને કારણે તેમને ICU માં રાખવામાં આવ્યા હતા અને વેન્ટિલેટર સપોર્ટ પર હતા, પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા નહીં.

એવું કહેવાય છે કે તબિયત બગડતા પહેલા ધીરજ કુમાર ઇસ્કૉન મંદિરના દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પાછા ફર્યા બાદ અચાનક તેમની તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પરિવારે તેમની હાલત અંગે અગાઉ પણ જાણકારી આપી હતી કે તેમની સ્થિતિ ગંભીર છે અને તેઓ સતત ડોકટરોની દેખરેખ હેઠળ છે. પરંતુ હવે તેમના નિધનના સમાચારથી ઇન્ડસ્ટ્રીમાં ઊંડા શોકનો માહોલ છે.

 Dheeraj Kumar Passes Away : અભિનય કારકિર્દી: હિન્દી અને પંજાબી સિનેમામાં યોગદાન

જણાવી દઈએ કે ધીરજ કુમારે અભિનયની દુનિયામાં 1970ના દાયકામાં પગ મૂક્યો હતો અને ‘દીદાર’, ‘રાતોં કા રાજા’, બહારો ફૂલ બરસાઓ’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘શરાફત છોડ દી મૈને’, ‘સરગમ’, ‘ક્રાંતિ’ અને ‘માંગ  ભરો સજના’ જેવી અનેક હિટ ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. તેમણે ફક્ત હિન્દી ફિલ્મોમાં જ નહીં, પરંતુ પંજાબી સિનેમામાં પણ પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેમણે લગભગ 21 પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં ‘સજ્જન સિંહ રંગરુટ’, ‘ઇક સંધૂ હુંદા સી’, ‘વોર્નિંગ 2’ અને ‘માઝૈલ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમનું બહુમુખી અભિનય કૌશલ તેમને બંને ભાષાઓના દર્શકોમાં લોકપ્રિય બનાવતું હતું.

આ સમાચાર પણ વાંચો : Tesla enters India : ટેસ્લાની ભારતમાં ભવ્ય એન્ટ્રી, મુંબઈના બીકેસીમાં પ્રથમ ‘એક્સપિરિયન્સ સેન્ટર’ શરૂ! જાણો ક્યારથી શરૂ થશે બુકીંગ અને કિંમત…

Dheeraj Kumar Passes Away :દિગ્દર્શક અને નિર્માતા તરીકેની ઓળખ: ટેલિવિઝનમાં યોગદાન

અભિનેતાની સાથે સાથે, ધીરજ કુમારે દિગ્દર્શનમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી. તેમણે બાળકો માટે બનેલી જાદુઈ ફિલ્મ ‘આબ્રા કા ડાબ્રા’ અને રહસ્યમય ફિલ્મ ‘કાશી: ઇન સર્ચ ઓફ ગંગા’ નું દિગ્દર્શન કર્યું હતું. આ ઉપરાંત, ધીરજ કુમારે નિર્માતા તરીકે પણ કામ કર્યું. તેમણે ‘ક્રિએટિવ આઈ લિમિટેડ’ (Creative Eye Limited) નામની કંપનીની સ્થાપના કરી અને 30 થી વધુ ટીવી સિરિયલોનું નિર્માણ કર્યું, જેમાં ‘ૐ નમઃ શિવાય’, ‘શ્રી ગણેશ’, ‘સંસ્કાર’, ‘ધૂપ-છાંવ’, ‘અદાલત’ અને ‘સિંહાસન બત્તીસી’ જેવા અનેક શો સામેલ હતા. આ શો દૂરદર્શન અને અન્ય ચેનલો પર ખૂબ જ લોકપ્રિય થયા હતા અને તેમણે ટેલિવિઝન ઉદ્યોગમાં એક મજબૂત વારસો છોડ્યો છે. ધીરજ કુમારનું અવસાન ભારતીય મનોરંજન જગત માટે એક મોટી ખોટ છે.

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ૩૫ સેકન્ડનો આ સીન હટાવાયો અને અપશબ્દો મ્યુટ કરાયા
Bollywood Actor ચાલવુંબોલવું પણ થઈ ગયું મુશ્કેલ; બ્રેઈન સ્ટ્રોક બાદ બદલાઈ ગયો આ બોલિવૂડ અભિનેતાનો આખો જીવનકાળ, રોજ લેવી પડે છે ૮ દવાઓ
Ramayana ‘રામાયણમાં રણબીર કપૂરનો સસરા બનશે આ દિગ્ગજ અભિનેતા, ભજવશે રાજા જનકનું પાત્ર
Emraan Hashmi Swine Flu બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સ્વાઇન ફ્લૂની ચપેટમાં; તબિયત વધુ લથડતાં અધવચ્ચે જ લાઈવ શો રદ્દ કરવો પડ્યો
Exit mobile version