Site icon

નેપોટિઝમ પર હવે તારક મહેતા કા… ના ‘જેઠાલાલે’ પણ તોડ્યું મૌન, સંસ્કૃતિ સાથે જોડીને કરી આ મોટી વાત

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

07 ડિસેમ્બર 2020

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલીવુડની અંદર એક યુદ્ધ છેડાઈ ગયું છે, સોશિયલ મીડિયા ઉપર નેપોટિઝ્મને લઈને ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ બધામાં હવે આ સૂચિમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ પણ ઝંપલાવ્યું છે. અહેવાલ છે કે દિલીપ જોશીએ તાજેતરમાં જ એક યુ ટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં બોલિવૂડ પર અને બોલિવૂડ ઉદ્યોગમાં પ્રવર્તમાન ભત્રીજાવાદ પર ખુલ્લેઆમ વાત કરી હતી.

અભિનેતા દિલીપ જોશીએ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, તેણે તેની કારકિર્દીમાં ક્યારેય ભત્રીજાવાદનો સામનો નથી કર્યો. આ આપણી સંસ્કૃતિ છે. જો કોઈ ઉદ્યોગપતિ છે, તો તેણે પોતાનો વ્યવસાય ગોઠવ્યો છે અને તેનો પુત્ર તેની સાથે જોડાવા માંગે છે, તો તે ચોક્કસપણે તેના પિતાના વ્યવસાયમાં જોડાશે. જોકે તેમણે વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે, જો કોઈ પ્રતિભાશાળી છે, તો તેને પણ તક મળવી જોઈએ, પછી ભલે તેને ફિલ્મ ઉદ્યોગ સાથે કોઈ સંબંધ છે કે નહીં. આ ઉદ્યોગ દરેકને તક આપે છે.’

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ જેઠાલાલે નેપોટિઝ્મને સંસ્કૃતિ સાથે જોડી કહ્યું હતું કે, આ મોટી વાત છે. તેમણે એમ પણ કહ્યું કે, બોલિવૂડ એક એવો ઉદ્યોગ છે જે દરેકને તક આપે છે. તેમના કહેવા પ્રમાણે, જો કોઈ વ્યક્તિ પ્રતિભાશાળી છે, તો તેની પૃષ્ઠભૂમિ શું છે તે જોયા વિના તેને તક મળવી જોઈએ. 

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ એક બીજા ઈન્ટરવ્યુમાં દિલીપ જોશીએ પણ આ શોની ઘટતી ટીઆરપી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સમય જતાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લખવા પર ખરાબ અસર પડી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે શોના લેખકો પર ખૂબ દબાણ છે. લેખકોને દરરોજ નવા એપિસોડ માટે સ્ક્રિપ્ટો લખવી પડે છે. આ જ કારણે તે તેમના લેખનની ગુણવત્તાને અસર કરે છે.  

Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ
‘The Bads of Bollywood’: શું ખરેખર બનશે ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની બીજી સીઝન? આર્યન ખાને આપ્યો સંકેત
Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું
Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત
Exit mobile version