Anupamaa Set Fire: અનુપમા ના સેટ પર લાગેલી આગ બાદ રાજન શાહી એ જારી કર્યું સ્ટેટમેન્ટ, લોકોને કરી આવી અપીલ

Anupamaa Set Fire: અનુપમા ના સેટ પર ગઈકાલે આગ લાગી હતી ત્યારબાદ રાજન શાહી ની ટિમ એ એક નિવેદન જારી કર્યું છે.

by Zalak Parikh
Fire Breaks Out on Anupamaa Set, No Casualties Reported Producer Rajan Shahi Issues Statement

News Continuous Bureau | Mumbai 

Anupamaa Set Fire: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’ ના સેટ પરથી સોમવારે સવારે એક દુઃખદ સમાચાર આવ્યા. સેટ પર અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. જો કે, સમયસર કાબૂ મેળવવામાં આવ્યો અને કોઈ જાનહાની થઈ નથી. શોના પ્રોડ્યૂસર રાજન શાહી એ એક ઓફિશિયલ નોટ જાહેર કરીને આ અંગે માહિતી આપી છે.

આ સમાચાર પણ વાંચો : Sunjay Kapur Prayer Meet: સંજય કપૂર ની પ્રાર્થના સભા માં આંસુ ભરેલી આંખો સાથે જોવા મળી પ્રિયા સચદેવ, પૂર્વ પતિ ની પત્ની ને જોઈ કરિશ્મા કપૂર પણ બની ભાવુક

સેટ પર કોઈ શૂટિંગ ન હતું, તમામ સ્ટાફ સુરક્ષિત

રાજન શાહીની ટીમે જણાવ્યું કે સેટ પર શૂટિંગ શરુ થવાનું હતું પણ સમય થોડી વાર પછીનો હતો. ત્યારે માત્ર સિક્યુરિટી અને ટેકનિકલ સ્ટાફ હાજર હતો અને બધા સુરક્ષિત છે. લાઇટ્સ પણ બંધ હતી, જેથી વધુ નુકસાન ટળ્યું.પ્રોડ્યૂસરની ટીમે જણાવ્યું કે આગ લાગવાનું સાચું કારણ હજુ શોધી રહ્યા છીએ. સાથે જ તેમણે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને સત્તાવાર અપડેટની રાહ જોવાની અપીલ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


રૂપાલી ગાંગુલી નો શો ‘અનુપમા’ સતત TRP ચાર્ટમાં ટોચ પર રહ્યો છે. આગની ઘટનાની ખબર મળતાં જ ફેન્સે સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી અને ટીમ માટે સલામતીની શુભેચ્છાઓ પાઠવી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Join Our WhatsApp Community

You may also like