આ કારણસર સતીશ કૌશિકે આમિર ખાનને ‘મિસ્ટર ઈન્ડિયા’ માટે કર્યો હતો રિજેક્ટ, કારણ જાણીને તમે ચોંકી જશો

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિકે તેની કારકિર્દીની શરૂઆત સહાયક નિર્દેશક તરીકે કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે સતીશ કૌશિકે ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા માટે આમિર ખાનને રિજેક્ટ કર્યો હતો.

by Zalak Parikh
for this reason satish kaushik had rejected aamir khan for mr india

News Continuous Bureau | Mumbai

 બોલીવુડના દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિકનું બુધવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. 66 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહી દીધું. સતીશ કૌશિકે સિનેજગતમાં જોડાતા પહેલા FTII અને NSD માંથી અભ્યાસ કર્યો હતો અને પછી થિયેટર કર્યું હતું. આ સાથે તેણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. પરંતુ શું તમે જાણો છો કે સતીશ કૌશિકે ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા માટે આમિર ખાનને રિજેક્ટ કરી દીધો હતો.

 

સતીશ કૌશિકે કર્યો હતો આમિર ખાન ને રિજેક્ટ  

આ તે સમયની વાત છે જ્યારે આમિર ખાન સિનેજગત માં આવવાની તૈયારી કરી રહ્યો હતો. આમિરને જે કરવું હતું તે નિશ્ચિત નહોતું, પણ તેણે શેખર કપૂર સાથે કામ કરવું હતું, તે તેના માટે ચોક્કસ હતું. મીડિયા સાથે વાત કરતાં આમિર ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું શેખર કપૂરને મળવા ગયો કારણ કે તે મારા ફેવરિટ ડિરેક્ટર્સમાંના એક છે. તેથી મેં તેને કહ્યું કે હું તેને મદદ કરવા માંગુ છું. તે સમયે સતીશ કૌશિક ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા માટે તેમના મુખ્ય સહાયક નિર્દેશક હતા.આમિર આગળ કહે છે, ‘તેથી હું સતીશ ને મળ્યો અને તેને મારું પેપરવર્ક બતાવ્યું કે હું શું કરું છું, તે આનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો, કારણ કે તે સમયે ઈન્ડસ્ટ્રીમાં કોઈ પેપરવર્ક નહોતું કરતું. ન તો સતીશ કરતા હતા. તે એક અદ્ભુત ‘એડી’ હતો કારણ કે તે સેટ ને શ્રેષ્ઠ રીતે મેનેજ કરી શકતો હતો. જોકે, પાછળથી મને ખબર પડી કે કેમ મને નોકરી મળી નથી. આમિર આગળ કહે છે, ‘પછીથી સતીષે મને કહ્યું કે જ્યારે તમે મને મળવા આવ્યા હતા ત્યારે તમે કારમાં આવ્યા હતા અને મારી પાસે કાર નહોતી. તેથી મેં વિચાર્યું કે હું જે જુનિયર ને ભાડે રાખીશ તેની પાસે તો કાર છે?’

 

આમિર ખાને જણાવી કાર ની હકીકત

જ્યારે અમીરનું કહેવું છે કે પાછળથી તેણે સતીશને કહ્યું કે તે જે કારમાં આવ્યો હતો તે તેની નથી, પરંતુ તે દિવસે તે કોઈના માટે કામ કરતો હતો, તેથી તે તે કારમાં હતો. આમિરે કહ્યું હતું કે ફિલ્મી પરિવારમાંથી હોવા છતાં તે પબ્લિક ટ્રાન્સપોર્ટથી જ મુસાફરી કરતો હતો. તમને જણાવી દઈએ કે,’મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મના દિગ્દર્શક શેખર કપૂર હતા, અને સતીશ કૌશિકે ફિલ્મમાં કૅલેન્ડરની યાદગાર ભૂમિકા ભજવી હતી. તે જ સમયે, આમિર ખાને વર્ષ 1988માં ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી અભિનેતા તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 

Join Our WhatsApp Community

You may also like