News Continuous Bureau | Mumbai
Govinda Birthday special: ગોવિંદા આજે તેનો 61 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. ગોવિંદાએ હિન્દી સિનેમામાં 37 વર્ષથી વધુની સફર પૂર્ણ કરી છે. 90ના દાયકામાં તેને બોક્સ ઓફિસનો કિંગ કહેવામાં આવતો હતો. બહુ ઓછા લોકો ને ખબર હશે કે ગોવિંદા ની માતા જન્મ થી મુસ્લિમ હતી ત્યારબાદ તેને હિંદુ ધર્મ અપનાવ્યો હતો,. ગોવિંદા તેની માતા ની સેવા માં કોઈ કસર છોડતો નથી. તો ચાલો જાણીયે અભિનેતા વિશે કેટલીક રસપ્રદ વાતો.
આ સમાચાર પણ વાંચો: Anupama Gaurav khanna: અનુપમા માં નહીં પરંતુ આ શો દ્વારા ટીવી પર ધમાકેદાર વાપસી કરી રહ્યો છે ગૌરવ ખન્ના, જાણો વિગત
ગોવિંદા વીશે રસપ્રદ વાતો
ગોવિંદા નો જન્મ 21 ડિસેમ્બર 1963 માં મુંબઈ ના વિરાર માં થયો હતો. ગોવિંદા ના પિતા આનંદ આહુજા 40ના દાયકામાં અભિનેતા હતા, જ્યારે માતા નિર્મલા દેવી શાસ્ત્રીય ગાયિકા હતી. ગોવિંદાની માતા, જે નિર્મલા દેવી તરીકે પ્રખ્યાત છે, શરૂઆતમાં મુસ્લિમ હતી, બાદમાં તેણે પોતાનો ધર્મ બદલી નાખ્યો અને હિંદુ બની ગઈ. આ પછી તે સાધ્વી પણ બની હતી. કપિલ શો માં ગોવિંદા ની પત્ની એ ગોવિંદા વિશે કહ્યું હતું કે, ‘ગોવિંદા ખૂબ સારા પતિ છે. પરંતુ તેને આગામી જીવનમાં ગોવિંદા જેવો પુત્ર જોઈએ છે. તમે વિશ્વાસ નહીં કરો કે ગોવિંદા તેની માતાના પગ ધોઈને તે પાણી પીવે છે.’ ગોવિંદા આજે પણ તેની માતાનો ફોટો જોઈને જ ઘરની બહાર નીકળે છે.
View this post on Instagram
ગોવિંદા એ બોલિવૂડમાં ફિલ્મ લવ 86 થી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેની પહેલી રિલીઝ ફિલ્મ ‘ઈલ્ઝામ’ હતી જે 1986માં રિલીઝ થઈ હતી.મીડિયા રિપોર્ટ મુજબ, ગોવિંદાની નેટવર્થ લગભગ રૂ. 150 કરોડ છે
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
 
			         
			         
                                                        