Gurucharan singh: ના પૈસા ના કપડા આ રીતે ગુરુચરણ સિંહ એ વિતાવ્યા 25 દિવસ, અભિનેતા એ જણાવ્યું તેમના ગાયબ થવાનું કારણ

Gurucharan singh: ગુરુચરણ સિંહ તારક મહેતા માં સોઢી નું પાત્ર ભજવી ને લોકપ્રિય થયા હતા. તેઓ લગભગ 25 દિવસથી લાપતા હતા, જે બાદ હવે તે પોતાના ઘરે પરત ફર્યા છે, હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને 25 દિવસ કેવી રીતે વિતાવ્યા અને તેઓ શા માટે ગાયબ થયા હતા તે જણાવ્યું છે.

by Zalak Parikh
gurucharan singh clarifies why he disappearance

News Continuous Bureau | Mumbai

Gurucharan singh: ગુરુચરણ સિંહ તારક મહેતા માં સોઢી નું પાત્ર ભજવી ને લોકપ્રિય થયા હતા.ગુરુચરણ સિંહ આ વર્ષે એપ્રિલમાં ગુમ થયા હતા તેઓ લગભગ 25 દિવસથી લાપતા હતા, જે બાદ હવે તે પોતાના ઘરે પરત ફર્યા છે, હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને 25 દિવસ કેવી રીતે વિતાવ્યા અને તેઓ શા માટે ગાયબ થયા હતા તે જણાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Bad newz OTT: બેડ ન્યૂઝ ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું ,જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો વિકી કૌશલ અને તૃપ્તિ ડીમરી ની ફિલ્મ

ગુરુચરણ સિંહ એ જણાવી હકીકત 

ગુરુચરણ સિંહ એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તે 25 દિવસ ક્યાં હતો અને તેને આ 25 દિવસ કેવી રીતે વિતાવ્યા, ઇન્ટરવ્યૂ દરમિયાન ગુરુચરણ સિંહ ને પૂછવામાં આવ્યું કે આ સમય દરમિયાન તેની પાસે કપડાં હતા કે નહીં જેના પર અભિનેતા એ કહ્યું  ‘હું દર બે દિવસે પોતાનું ટી-શર્ટ ધોતો હતો અને તે જ પહેરતો હતો. ઘણી વખત ટી-શર્ટ સુકાઈ નહોતું શકતું, તેથી જ્યારે તે ભીનું હોય ત્યારે તેને પહેરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.ટ્રાઉઝર તો 17 દિવસ પછી ધોઈ શકાયું હતું મેં ભગવાનને પ્રાર્થના કરી અને મદદ માંગી કારણ કે ગંદુ ટ્રાઉઝર મને ઇરિટેટ કરી રહ્યું હતું. તે જ દિવસે ભગવાને મદદ કરી અને હું મારુ ટ્રાઉઝર ધોઈ શક્યો. બાદમાં મેં સ્નાન કર્યું અને તે પહેર્યું. ‘ આ સિવાય તેને જણાવ્યું કે ‘મુસાફરી દરમિયાન પૂરતી ઊંઘ લેવા માટે હું જનરલ ટિકિટ ખરીદતો અને જનરલ ડબ્બો લેતો. રાત વિતાવવાની જગ્યા ન હતી, ઘણી વખત હું રેલ્વે પ્લેટફોર્મ કે બસ સ્ટોપ પર સૂઈ જતો.’ 


પોતાના ગાયબ થવાનું અસલી કારણ જણાવતા ગુરુચરણ સિંહ એ કહ્યું, હું એટલે ગાયબ નહોતો થયો કારણ કે હું લોન ચૂકવવા માંગતો ન હતો. મારા પર હજુ પણ દેવું છે. મારો ઈરાદો સારો છે અને લોન લીધા પછી પણ હું ક્રેડિટ કાર્ડ અને EMI પેમેન્ટ કરી રહ્યો છું.હું બદલાઈ ગયો છું. મેં 25 દિવસમાં દુનિયા જોઈ છે. હું આધ્યાત્મિક યાત્રા પર હતો અને પબ્લિસિટી સ્ટંટ માટે આ બધું નથી કર્યું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

You may also like