Site icon

Anupamaa : શું માયા બાદ હવે રાખી દવે એ પણ છોડી દીધો અનુપમા શો? અભિનેત્રી તસ્નીમ એ જણાવી હકીકત

કિંજલની માતા રાખી દવે ઘણા સમયથી ટીવી સીરિયલ 'અનુપમા'માં જોવા મળી નથી. આવી સ્થિતિમાં સિરિયલના ફેન્સ ઘણા દિવસોથી આ સવાલ પૂછી રહ્યા હતા કે શું તેણે શો છોડી દીધો છે?

News Continuous Bureau | Mumbai

ટીઆરપી લિસ્ટમાં ટોપ પર સ્થાન મેળવનાર શો ‘અનુપમા‘ની વાર્તા હાલમાં અનુપમાના અમેરિકા જવાની આસપાસ ફરે છે. માયાના જવાથી અનુજ પરેશાન છે. છોટીઅનુ એકલી રહી ગઈ. આવી સ્થિતિમાં અનુપમા મૂંઝવણની સ્થિતિમાં અટવાઈ ગઈ છે. અનુપમા અમેરિકા જઈ શકશે કે કેમ તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. આજે અમે તમને આ ટીવી સીરિયલ સાથે જોડાયેલા અન્ય એક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ. આ સમાચાર અનુપમા સાથે નહીં પરંતુ શોના અન્ય પાત્ર સાથે સંબંધિત છે.

Join Our WhatsApp Community

રાખી દવેઅનુપમા’ માંથી છે ગાયબ

નાગિન એટલે કે કિંજલની માતા રાખી દવે ઘણા સમયથી ટીવી સીરિયલ ‘અનુપમા‘માં જોવા મળી નથી. જવાબદારીઓનો બોજ કિંજલ પર નાખવામાં આવ્યો છે. અનુપમા અને અનુજ અલગ થઈ ગયા. માયાનો અકસ્માત થયો છે. પરંતુ, રાખી દવે આવી ન હતી. આવી સ્થિતિમાં ચાહકોના મનમાં સવાલ ઉઠવા લાગ્યો કે શું રાખી દવેનું પાત્ર ભજવનાર અભિનેત્રી તસનીમ નેરુરકરે શો છોડી દીધો છે? હવે આ સવાલનો જવાબ તસ્નીમે પોતે આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Political Crisis: ગઈકાલે શરદ પવાર સાથે, આજે અજિત પવારની સીધી મુલાકાત, પડદા પાછળ શું થઈ રહ્યું છે?

રાખી દવે એટલેકે આભિનેત્રી તસ્નીમએ આપ્યો અનુપમા છોડવા પર જવાબ

અભિનેત્રીએ એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મેં ‘અનુપમા‘ને છોડી નથી. વાર્તાને આગળ લઈ જવા માટે જ્યારે પણ મારા પાત્રની જરૂર પડશે ત્યારે હું ચોક્કસ જઈશ. પરંતુ, હા, મને મારી ટીમ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. હું અન્ય પ્રોજેક્ટ કરી શકું છું. જો કે, હું ફક્ત એવા પ્રોજેક્ટ જ કરીશ જેનો મને ખરેખર આનંદ છે. હું આ સમયે નવા પ્રોજેક્ટ્સ માટે ઑફર્સ સાઇન કરવા માટે તૈયાર છું. હું એવું કંઈપણ કરવા તૈયાર છું જેના માટે મને મારું ઘર છોડીને સેટ પર જવાની તક મળે.”

 

Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Exit mobile version